IND vs ENG 1st ODI: ઇંગ્લેન્ડએ પ્રથમ બોલિંગ કરવાનો લીધો નિર્ણય, પી કૃષ્ણાએ કર્યું ડેબ્યુ
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ યોજાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પી.કૃષ્ણાએ ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે, જ્યારે કૃણાલ પ
આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની પહેલી મેચ યોજાઈ રહી છે. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પી.કૃષ્ણાએ ભારતીય ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે, જ્યારે કૃણાલ પંડ્યાને પણ વનડેમાં તક મળી છે. સૂર્યકુમાર યાદવને સ્થાન મળ્યું નથી પરંતુ શ્રેયસ ઐયર ચોથા નંબર પર રહેશે. આ સિવાય કેએલ રાહુલ પર વિશ્વાસ કરવામાં આવ્યો છે અને તે વિકેટકીપર બનશે. પરંતુ રીષભ પંત ટીમમાં નથી. પાંચમાં નંબર પર રાહુલ બેટિંગ કરશે. હાર્દિક અને કૃણાલ અનુક્રમે 6 અને 7 નંબર પર બેટિંગ કરશે.

આ મેચમાં ભારતની બેટિંગમાં ઘણી લાંબી છે કારણ કે શાર્દુલ ઠાકુર 8 અને ભુવનેશ્વર કુમાર 9 નંબર પર બેટિંગ કરશે. કુલદીપ યાદવ પણ સ્પિનર તરીકે રહેશે.
આ અગાઉ બંને ટીમો પાંચ મેચની ટી 20 સિરીઝ રમી છે જેમાં ભારતે 3-૨થી જીત મેળવી હતી. ઇંગ્લેન્ડની ટીમે આ ટૂર પર ટેસ્ટ સિરીઝ પણ 3-1થી ગુમાવી દીધી છે અને હવે ઘરેલુ પ્રયાણ પૂર્વે કંઈપણ હાંસલ કરવા માટે એકમાત્ર શ્રેણી બાકી છે. પરંતુ આ શ્રેણીમાં પણ તેની પાસે જો રૂટ, ક્રિસ વોક્સ અને જોફ્રા આર્ચર જેવા ખેલાડીઓ નથી.
આ પિચ બેટિંગ માટે સારી છે અને તેના પર થોડુ ઘાસ પણ છે, જે શરૂઆતમાં ઝડપી બોલરો માટે મદદ કરશે. બોલ ઝડપી બોલરો માટે સારી રીતે આગળ ધપાવશે પરંતુ આખરે તે એક વિકેટ હશે જે સ્પિનરો માટે ઘણી મદદ કરે તેવી શક્યતા નથી.
ભારતની પ્લેઇંગ ઇલેવન: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, કુલદીપ યાદવ, પી કૃષ્ણા
ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન: જેસન રોય, જોની બેરસ્ટો, ઇઓન મોર્ગન, જોસ બટલર, બેન સ્ટોક્સ, સેમ બિલિંગ્સ, મોઈન અલી, સેમ ક્યુરેન, ટોમ ક્યુરેન, આદિલ રાશિદ, માર્ક વુડ
આ પણ વાંચો: આ વખતે આઈપીએલમાં એકેય ટીમ હોમ ગેમ નહિ રમે












Click it and Unblock the Notifications
