IND vs PAK: સૂર્યકુમાર યાદવે એશિયા કપ 2025ની તમામ મેચની આવક ભારતીય સેનાને અર્પણ કરી
એશિયા કપ 2025ની ફાઈનલમાં રોમાંચક જીત હાંસલ કર્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે એવો નિર્ણય કર્યો જે સાંભળ્યા બાદ આખા દેશનું દિલ જીતી લીધું. મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઘોષણા કરી કે તેઓ આખા ટૂર્નામેન્ટ દરમિયાન રમાયેલ તમામ મેચની પોતાને મળેલ ફી ભારતીય સેનાને આપશે.

મારી આવક હું સેનાને આપીશ
એશિયા કપ ફાઈનલ મેચની ધમાકેદાર જીત પછી સૂર્યકુમાર યાદવે કહ્યું કે હું વ્યક્તિગત રૂપે આ ટૂર્નામેન્ટમાં રમાયેલ તમામ મેચની મારી ફી ભારતીય સેનાને આપવા માંગું છું. દુબઈમાં ભારતની શાનદાર જીત પછી તેમણે આ ઘોષણા કરી.
કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરી 4 વિકેટ ખેડવી પાકિસ્તાનને 146 રન પર જ રોકી દીધું હતું, જે પછી તિલક વર્માના અણનમ 69 રન અને શિવમ દુબેની 33 રનની ધમાકેદાર ઈનિંગે ભારતને 147 રનનો લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરી.
જ્યાં મેદાન પર ટીમ ઈન્ડિયાની જીતનો જશ્ન મનાવાઈ રહ્યો હતો. ત્યાં જ પ્રેસ રૂમમાં તાળીઓના ગડગડાટ સાથે સૂર્યકુમાર યાદવની આ ઘોષણાનું સ્વાગત કરવામાં આવી રહ્યું હતું અને સોશિયલ મીડિયા પર સૂર્યકુમાર યાદવના આ નિર્ણયના ખુબ વખાણ કરવામાં આવ્યાં.
ઉલ્લેખનીય છે કે આ ટૂર્નામેન્ટ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ ટૂકનીતિક તણાવોની પૃષ્ઠભૂમિમાં થયો હતો. આ કારણે જ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તણાવનો માહોલ બની રહ્યો હતો.
આ ઉપરાંત વર્ષની શરૂઆતમાં પહલગામ આતંકી હુમલાનો ભાવનાત્મક બોજો પણ એશિયા કપ દરમિયાન ભારતીય કેમ્પમાં મહેસૂસ કરાયો હતો. ભારતીય ટીમના ખેલાડીઓએ અગાઉ પણ અનેક અવસર પર સશસ્ત્ર બળો પ્રત્યે એકજુટતાનો ભાવ દેખાડ્યો હતો. ચેમ્પિયન કેપ્ટને ફરી એકવાર સાબિત કરી દીધું કે દેશની સેવા અને સમ્માન જ સૌથી ઉપર છે.












Click it and Unblock the Notifications
