IPL 2021: MI સામેના મુકાબલા પહેલાં દિલ્હી માટે ગુડ ન્યૂઝ, ઈશાંત શર્મા થયા ફિટ
IPL 2021: MI સામેના મુકાબલા પહેલાં દિલ્હી માટે ગુડ ન્યૂઝ, ઈશાંત શર્મા થયા ફિટ
દિલ્હી કેપિટલ્સની ટીમ 20 એપ્રિલે એટલે કે આજે સાંજે પોતાનો ત્રીજો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. આ મેચ પહેલાં દિલ્હી કેપિટલ્સના ખેમાથી એક ગુડ ન્યૂઝ મળી આવ્યા છે, તેજ બોલર ઈશાંત શર્મા ફિટ થઈ ગયા છે. ઈશાંત શર્માને આઈપીએલ સિઝન 14 માટે તમામ મેચ રમવાની લીલી ઝંડી મળી ગઈ છે. સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતાં દિલ્હી કેપિટલ્સના કેમ્પ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ઈશાંત શર્મા પોતાની એડીની ચોટથી પરેશાન હતા પરંતુ હવે તેઓ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે અને ફિટ છે.

સૂત્રએ જણાવ્યું કે "ઈશાંત શર્મા એડીની ઈજાથી પરેશાન હતા પરંતુ હવે તેઓ આગામી મેચ માટે બિલકુલ ફિટ છે. તેઓ ધીરે ધીરે શરૂ કરશે કેમ કે હાલ અમારે ટૂર્નામેન્ટમાં લાંબો રસ્તો કાપવાનો બાકી છે અને ઈશાંત શર્મા અમારા પેસ અટેકનો મહત્વનો ભાગ છે."
દિલ્હી કેપિટલ્સની ટીમે ત્રણ મેચમાંથી બે મુકાબલા જીત્યા છે અને અત્યાર સુધી ઘણી સારી રીતે ટૂર્નામેન્ટ રમ્યો છે પરંતુ ફાસ્ટ બોલર સારા ફોર્મમાં નથી, બીજી તરફ કગિસો રબાડાનું નામ આખી દુનિયામાં મશહૂર છે પરંતુ તેમનાથી હજી અમુક ઉમ્મીદો બાકી છે. જ્યારે દેસી બોલર લુકમાન મેરીવાલા પંજાબ કિંગ્સ સામે પાછલી મેચમાં ઘણા મોંઘા સાબિત થયા હતા. હકીકત તો એ છે કે આવેશ ખાન અત્યાર સુધીના એકમાત્ર એવા બોલર છે જેમણે દિલ્હી કેપિટલ્સની ટીમમાં પ્રભાવ છોડ્યો છે. જો મુંબઈ ઈન્ડિયન્સ જેવી ડિફેંડિંગ ચેમ્પિયનને હરાવવી હોય તો ઈશાંત શર્માની હાજરી દિલ્હીના ખેમાને ઉત્સુકતા પ્રદાન કરશે.
મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ મુકાબલાની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સ ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પાસેથી એવી જ શરૂઆત ઈચ્છશે જે તેમણે પંજાબ સામેની મેચમાં અપાવી હતી ત્યારે તેમણે 92 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સની ટીમે વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધી ત્રણ મેચ રમ્યા છે અને તે પોતાના આગલા 3 મુકાબલા ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમશે.












Click it and Unblock the Notifications
