પાકિસ્તાન પાસે નથી હાર્દિક પંડ્યા-સુર્યકુમાર યાદવ જેવા ખેલાડી: નસિર હુસેન
T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે બેટિંગ એક સમસ્યા બની છે. ટીમ ભલે ફાઈનલમાં પહોંચી ગઈ હોય, પરંતુ તે અહીં કેવી રીતે પહોંચી તે કોઈનાથી છુપાયેલું નથી. પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનનું નસ
T20 વર્લ્ડ કપ 2022ની ફાઇનલમાં પહોંચેલી પાકિસ્તાની ક્રિકેટ ટીમ માટે બેટિંગ એક સમસ્યા બની છે. ટીમ ભલે ફાઈનલમાં પહોંચી ગઈ હોય, પરંતુ તે અહીં કેવી રીતે પહોંચી તે કોઈનાથી છુપાયેલું નથી. પ્રથમ બે મેચ હાર્યા બાદ પાકિસ્તાનનું નસીબ સંપૂર્ણપણે બદલાઈ ગયું અને સતત ચાર જીત નોંધાવ્યા બાદ ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

મિડલ ઓર્ડર ટીમની મોટી સમસ્યા
ઈંગ્લેન્ડ સામેની ફાઈનલ મેચમાં પાકિસ્તાનની બેટિંગ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. આ જ કારણ છે કે ઇંગ્લેન્ડે એક ઓવર બાકી રહીને આસાનીથી ટાર્ગેટ પૂરો કર્યો. સ્કાય સ્પોર્ટ્સ પર વાત કરતા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસીર હુસૈને કહ્યું કે ભારતની બેટિંગમાં વધુ ડેપ્થ છે. જ્યારે પાકિસ્તાનમાં આવું નથી. પાકિસ્તાનની ટીમમાં મિડલ ઓર્ડર મોટી સમસ્યા છે.

પંડ્યા - સુર્યકુમાર જેવા ખેલાડીની કમી
નાસિર હુસૈને ભારતની ધીમી બેટિંગની ટીકા કરી હતી. જે બાદ કેટલાક ચાહકોએ તેમને સવાલ પૂછ્યો હતો કે તમે માત્ર ભારતની વાત કેવી રીતે કરી શકો, પાકિસ્તાને પણ આવું જ કર્યું. તેના પર નાસિર હુસૈને જવાબ આપ્યો કે પાકિસ્તાનની પાસે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા જેવા બેટ્સમેન નથી. જે મેદાન પર આવતાની સાથે જ મોટા શોટ ફટકારી શકે છે.

એટલા માટે બાબર-રિઝવાન છે મજબુર
નાસિર હુસૈને કહ્યું કે પાકિસ્તાનની ટીમ મોટાભાગે તેના ઓપનરો પર નિર્ભર છે. આ જ કારણ છે કે બાબર અને રિઝવાન હંમેશા ઈનિંગની શરૂઆત સાવધાનીથી કરવા ઈચ્છે છે. નાસિર હુસૈને પાકિસ્તાનના બોલરોના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે પાકિસ્તાનના બેટ્સમેનો ઓછા સ્કોર છતાં પણ પોતાની બોલિંગ ટીમને મેચમાં જાળવી રાખે છે. પરંતુ ભારતની બાબતમાં આવું નથી, ભારતને સેમીફાઈનલમાં મોટા સ્કોરની જરૂર હતી, જે તેઓ બનાવી શક્યા ન હતા.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
