IND VS AUS: રોહિત શર્માએ સંન્યાસ અંગે કર્યો મહત્વનો ખુલાસો, સીડની ટેસ્ટ મેચ વચ્ચે મોટી ખબર
ભારતીય ટીમના નિયમિત વનડે અને ટેસ્ટ કેપ્ટન રોહિત શર્માએ પોતે સિડની ટેસ્ટમાંથી બહાર થવાને લઈને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેણે કહ્યું કે તેને ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યો નથી, બલ્કે તેણે પોતે આ મેચમાંથી આરામ લેવાનો નિર્ણય કર્યો છે. રોહિત શર્માનું કહેવું છે કે આ નિર્ણય તેની ફિટનેસ અને મેચોની પ્રાથમિકતાના આધારે લેવામાં આવ્યો છે.
રોહિત શર્માના ફોર્મને લઈને ચર્ચા થઈ રહી છે, કારણ કે છેલ્લી કેટલીક ટેસ્ટ મેચોમાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહોતું. તેમ છતાં રોહિતે કહ્યું કે આ તેમનો વ્યક્તિગત નિર્ણય છે અને ટીમ મેનેજમેન્ટના દબાણમાં નથી. કારણ કે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખવાના સમાચાર સામે આવ્યા હતા.

ટીમના હિતમાં લીધુ આ પગલુ
સિડની ટેસ્ટ દરમિયાન રોહિત શર્માએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અત્યારે તેનું બેટ બરાબર કામ કરી રહ્યું નથી અને તેથી તેણે પોતે બહાર બેસવાનો નિર્ણય કર્યો. તેમનું આ પગલું ટીમના હિતમાં હતું, કારણ કે તેમને લાગ્યું કે જે ખેલાડીઓ ફોર્મમાં નથી તેમને આવી મહત્વપૂર્ણ મેચમાં રમવાની તક ન મળવી જોઈએ.
પાંચ છ મહિનામાં પરિસ્થિતિ બદલાઈ શકે
રોહિત શર્માએ આ નિવેદનમાં સ્પષ્ટપણે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની ક્રિકેટ કારકિર્દીમાંથી નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યો નથી. તેમ છતાં તે હાલમાં રન નથી બનાવી રહ્યો. પરંતુ તેણે કહ્યું કે પાંચ મહિના પછી પરિસ્થિતિ બદલાઈ શકે છે અને રન આવી શકે છે, તેથી તે તેની મહેનત ચાલુ રાખશે.
મેં અગાઉથી જાણ કરી હતી
તેમણે એમ પણ કહ્યું કે તેમના નિર્ણયો બહારના લોકો નક્કી કરી શકતા નથી જેઓ માત્ર લેપટોપ, પેન અને કાગળ લઈને બેસી રહે છે.આ સિવાય રોહિતે એમ પણ કહ્યું કે સિડની આવ્યા બાદ તેણે મેનેજમેન્ટને જાણ કરી હતી કે તે છેલ્લી મેચ નહીં રમે, કારણ કે તે સતત પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ રન બનાવી રહ્યો ન હતો.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
