બીજી ODIથી બહાર થઈ શકે છે રોહિત શર્મા, આ ખેલાડી ભજવશે ઓપનરની ભૂમિકા
બીજી ODIથી બહાર થઈ શકે છે રોહિત શર્મા, આ ખેલાડી ભજવશે ઓપનરની ભૂમિકા
ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડની પહેલી વનડે મેચ 23 માર્ચે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયો હતો. આ મેચમાં મેજબાન ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 66 રને માત આપી. આની સાથે જ ભારતીય ટીમે ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

જો કે મેચ જીતવા છતાં તેમના માટે ખરાબ સમાચાર હતા. ભારતના સલામી બેટ્સમેન રોહિત શર્મા બેટિંગ કરતી વખતે માર્ક વુડની ચપેટમાં આવી ઘાયલ થઈ ગયા. માટે તેમની બીજી મેચ રમવાની સંભાવના નહિવત છે. માટે ભારતીય ટીમને તેમની જગ્યાએ એક વૈકલ્પિક ખેલાડીની તલાશ હશે. રોહિત શર્મા બેટિંગ કરતાં ઈનિંગની પાંચમી ઓવરમાં ઘાયલ થઈ ગયા. તેજ બોલર માર્ક વુડની બોલ શર્માની કોણીમાં વાગી હતી. જે બાદ રોહિત શર્માને કોણીએથી લોહી પણ નિકળવા લાગ્યું હતું. જો કે રોહિત શર્માએ પોતાની ગેમ ચાલુ રાખવાનો ફેસલો લીધો હતો.
જે બાદ તેઓ 42 બોલમાં 28 રન બનાવી આઉટ થઈ ગયા. જો કે બાદમાં તેઓ ફિલ્ડિંગ કરવા માટે મેદાનમાં નથી ઉતર્યા. માટે તેમની ઈજા તેજ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં તેઓ બીજી મેચ નહિ રમી શકે તે લગભગ ફાઈનલ છે.
જો રોહિત શર્માને બીજી વનડેથી બહાર કરી દેવામાં આવે છે તો શુભમન ગિલને તેમની જગ્યાએ મોકો મળવાની સંભાવના છે. શુભમન ગિલે ભારત માટે અત્યાર સુધી ત્રણ વનડે મેચ રી છે, જેમાં 16.33ની એવરેજથી 49 રન બનાવ્યા છે. જો કે તેમનો એકદીવસીય રેકોર્ડ સંતોષજનક નહોતો, તેમણે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રૃંખલામાં પોતાની સૂક્ષ્મતા સાબિત કરી. માટે તેમને અવસર મળે તે બહુ સંભાવના છે.












Click it and Unblock the Notifications
