WTC ફાઇનલમાં રિદ્ધીમાન સાહાને સામેલ ના કરી પસંદગીકારીઓ કરી ભુલ: અનિલ કુંબલે
IPL 2023માં શાનદાર ફોર્મમાં હોવા છતાં, વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે KL રાહુલના સ્થાને રિદ્ધિમાન સાહાને લેવામાં આવ્યો નથી. કેએલ રાહુલની જગ્યાએ ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આઈપીએલની એ જ સિઝનમાં લખનૌ સુપરજાયન્ટ્સની કેપ્ટનશીપ કરતી વખતે કેએલ રાહુલને એક મેચમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેની જાંઘની સર્જરી કરવામાં આવી હતી. સાહાના સ્થાને ઇશાન કિશનના સમાવેશથી ઘણાને આશ્ચર્ય થયું છે, જેમાં ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી લેગ-સ્પિનર અનિલ કુંબલેનો સમાવેશ થાય છે.

જિયો સિનેમાના શોમાં બોલતા કુંબલેએ કહ્યું જો તમે IPLની આ સિઝનમાં સાહાની વિકેટ કીપિંગ જુઓ છો, તો તે જબરદસ્ત રહી છે, પરંતુ તેની બેટિંગ પણ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર રહી છે. તે ઘણી વખત વિકેટ પાછળ ખૂબ જ સાતત્યપૂર્ણ રહ્યો છે. લોકો તેની અવગણના કરે છે પરંતુ તે ભારતના શ્રેષ્ઠ વિકેટકીપરોમાંનો એક છે.
મને લાગે છે કે પસંદગીકારોએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આ એક ટ્રિક ગુમાવી દીધી છે કારણ કે સાહા ત્યાં હોવો જોઈએ. હું જાણું છું કે કેએસ ભરત આ ટીમમાં છે. જ્યારે તક આપવામાં આવી ત્યારે તેણે પણ સારું પ્રદર્શન કર્યું છે પરંતુ સાહા વિકેટની પાછળ સાહાનો કોઇ તોડ નથી. હવે તે ખૂબ સારી બેટિંગ કરી રહ્યો છે.
38 વર્ષીય સાહા IPLની 16મી સિઝનમાં ગુજરાત ટાઇટન્સ માટે ઓપનરની ભૂમિકા ભજવી રહ્યો છે. જ્યાં તે ઝડપી બેટિંગ કરે છે. ભારતીય પસંદગીકારોએ સાહાના નામ પર પણ વિચાર કર્યો ન હતો કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં પણ ઈશાન કિશન બીજી પસંદગીનો વિકેટકીપર હતો.
ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ ઓપનર શિવ સુંદર દાસની વચગાળાની અધ્યક્ષતામાં પસંદગી સમિતિએ ઈશાન કિશનને લેવાનું યોગ્ય માન્યું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ માટે ભારતીય ક્રિકેટ ટીમમાં વિકેટકીપરની ગેરહાજરી પીડાદાયક છે.
મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ બાદ રિષભ પંતે ઘણા વર્ષો પછી ટેસ્ટ વિકેટ કીપરની જગ્યા ભરી હતી, પરંતુ હવે તેને ક્રિકેટના મેદાનમાં વાપસી જોવા માટે લાંબી રાહ જોવી પડશે. એટલા માટે માનવામાં આવી રહ્યું હતું કે સાહાને ફરી એકવાર તક મળી શકે છે પરંતુ તે શક્ય નહોતું.
જ્યાં સુધી રાહુલની વાત છે, તેની સર્જરી સફળ રહી છે અને હવે તે ઝડપથી પુનરાગમન કરવા માંગે છે.












Click it and Unblock the Notifications
