T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું?

ભારતીય ટી20 ટીમના સુકાની સૂર્યકુમાર યાદવે ન્યૂઝીલેન્ડ સામે ઐતિહાસિક જીત મેળવી ભારતને ત્રીજો વર્લ્ડ કપ ટાઈટલ અપાવ્યું છે. આ ભવ્ય વિજય બાદ સૂર્યાએ ટીકાકારોને જડબાતોડ જવાબ આપતા પોતાના ભવિષ્ય વિશેની તમામ અટકળોનો અંત આણ્યો છે.

પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યાએ સ્પષ્ટ કર્યું કે તે ક્યાંય જવાનો નથી અને હવે તેના લક્ષ્યો વધુ મજબૂત અને મોટા બન્યા છે. તેમણે ભારતીય ક્રિકેટના આગામી સુવર્ણ યુગ માટે અત્યારથી જ પાયો નાખવાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું જણાવ્યું.

સૂર્યકુમાર યાદવે વર્ષ 2028માં યોજાનારા લોસ એન્જલસ ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતવાની મહત્વકાંક્ષા વ્યક્ત કરી છે. આ સાથે જ તે વર્ષે ટી20 વર્લ્ડ કપના ખિતાબનું રક્ષણ કરવું એ તેમની પ્રાથમિકતા રહેશે તેમ ઉમેર્યું.

પોતાની કારકિર્દી વિશે વાત કરતા સૂર્યાએ 2024ના વર્લ્ડ કપ ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે લીધેલા કેચને ટર્નિંગ પોઈન્ટ ગણાવ્યો હતો. ભાવુક થઈને તેમણે સ્વીકાર્યું કે તે એક ક્ષણે તેમનું સમગ્ર જીવન અને કરિયરની દિશા બદલી નાખી છે.

કેપ્ટન તરીકે સૂર્યાનું મુખ્ય લક્ષ્ય ભારતીય ધરતી પર ચાહકો સામે વર્લ્ડ કપ જીતવાનું હતું જે તેણે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. ઘરઆંગણે રમતી વખતે રહેતા ભારે દબાણ વચ્ચે પણ ટીમે શાનદાર પ્રદર્શન કરી ઈતિહાસ રચી દીધો છે.

સૂર્યાએ જણાવ્યું કે ભારતમાં ટી20 વર્લ્ડ કપ જીતવો એ એક મોટી સિદ્ધિ છે કારણ કે અહીં ચાહકોની અપેક્ષાઓ ઘણી વધારે હોય છે. ટીમના ખેલાડીઓને અગાઉથી જ આ ઐતિહાસિક ક્ષણ માટે તૈયાર રહેવા તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.

વિજય બાદ સૂર્યકુમાર યાદવે સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના વખાણ કરતા તેને ભારતની 'રાષ્ટ્રીય ધરોહર' તરીકે સંબોધ્યો હતો. સૂર્યાના નેતૃત્વમાં હવે ટીમ ઈન્ડિયા આગામી વર્ષોમાં નવા શિખરો સર કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર દેખાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X