T20: આયરલેન્ડ વિરૂદ્ધ ભારતીય ટીમની જાહેરાત, હાર્દિક પંડ્યા કેપ્ટન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આયર્લેન્ડ સામેની બે મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. શ્રેણીની પ્રથમ મેચ 26 જૂન, રવિવારે અને બીજી મેચ 28 જૂન,
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આયર્લેન્ડ સામેની બે મેચની T20I શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરી છે. શ્રેણીની પ્રથમ મેચ 26 જૂન, રવિવારે અને બીજી મેચ 28 જૂન, મંગળવારે રમાશે. આયર્લેન્ડ ભારત સામે તેની ત્રણેય ટી-20 મેચ હારી ગયું છે.
ત્રિપાઠીને પહેલીવાર મોકો મળ્યો
જમણા હાથના બેટ્સમેન રાહુલ ત્રિપાઠીએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) માટે તેના શાનદાર પ્રદર્શન બાદ પ્રથમ વખત ટીમમાં સ્થાન મેળવ્યું છે. તે જ સમયે, દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણીમાંથી બહાર રહેલા વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે.
આ છે ભારતની ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), ભુવનેશ્વર કુમાર (VC), ઈશાન કિશન, રુતુરાજ ગાયકવાડ, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, વેંકટેશ ઐયર, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (WK), યુઝવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, આર બિશ્નોઈ, હર્ષલ પટેલ. , અવેશ ખાન , અર્શદીપ સિંહ , ઉમરાન મલિક
આયર્લેન્ડે પણ જાહેરાત કરી
આ પહેલા આયર્લેન્ડે પણ શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. આયર્લેન્ડે ટોચના ક્રમના બેટ્સમેન સ્ટીફન ડોહેની અને જમણા હાથના ફાસ્ટ બોલર કોનોર ઓલ્ફર્ટની અનકેપ્ડ જોડીને ભારત સામેની બે મેચની T20I શ્રેણી માટે તેમની 14 સભ્યોની ટીમમાં સામેલ કર્યા છે. ડોહેની અને ઓલ્ફર્ટની પસંદગી ડોમેસ્ટિક સર્કિટમાં મજબૂત પ્રદર્શનના આધારે કરવામાં આવી હતી. ઓલરાઉન્ડર શેન ગેટકેટ અને સિમી સિંહને એન્ડ્ર્યુ બાલબિર્નીની આગેવાની હેઠળની ટીમમાં સ્થાન મળ્યું નથી.
આયર્લેન્ડની ટીમ આ પ્રમાણે છે-
એન્ડ્રુ બાલ્બિર્ની (કેપ્ટન), માર્ક એડેર, કર્ટિસ કેમ્પર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, સ્ટીફન ડોહેની, જોશ લિટલ, એન્ડ્રુ મેકબ્રાઈન, બેરી મેકકાર્થી, કોનોર ઓલ્ફર્ટ, પોલ સ્ટર્લિંગ, હેરી ટેક્ટર, લોર્કન ટકર, ક્રેગ યંગ.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો