વિરાટ કોહલી આ વખતે ધાર્મિક યાત્રા માટે ઋષિકેશ ગયા, ફેન્સે કહ્યુ ટેસ્ટમાં શતક આવશે
વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા ઋષિકેશ ગયા છે. અને તેની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. બંને આ પહેલા કૈચી અને વૃંદાવન આશ્રમમાં પણ ગયા હતા.
વિરાટ કોહલી જ્યારે પણ બ્રેક મળે છે , તે આધ્યાત્મિક યાત્રા પર નીકળી જાય છે. તેની સાથે તેની પત્ની અનુષ્કા શર્મા પર હોય છે. આ વખતે પણ કઇંજ આવુ જ થયુ હતુ. ન્યુઝીલેન્ડ સામેની ભારતીય ટીમ ટી20 સીરીજ રમી રહી છે. પરંંતુ કોહલી તેમા નથી આ સમયનો ઉપયોગ તે તે એક ધાર્મિક સ્થાન પર જઇને કરે છે. આ દરમિયાન કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ તેની સાથે જ હતી. સોશિયલ મીડિયા પર બંનેની તસવીર વાયરલ થઇ રહી છે. ફેન્સ એ પણ કહી રહ્યા છે કે કોહલીનું ટેસ્ટમાં પણ શતક આવનાર છે.

કોહલી અને અનુષ્કા ઋષિકેશમાં સ્વામી દયાનદજી મહારાજના આશ્રમમાં ગયા અને દર્શન કર્યા હતા. તેમના ફોટા પણ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. આધ્યત્મીક વસ્તુઓને પણ કોહલીએ પોતાના જીવનનો ભાગ બનાવી લીધો છે. તક મળતા જ તે કોઇ ના કોઇ ધાર્મિક સ્થળે પહોચી જાય છે.
भगवा शेर विराट कोहली जी ऑस्ट्रेलिया सीरीज से पहले 🔥🔥 pic.twitter.com/4c7Rpz5h6l
— Peaky Balvinder (@peaky_balvinder) January 30, 2023
આ પહેલા તે ઉતરાખંડ સ્થિત કૈચી ધામના નીમ કરૌલી બાબાના આશ્રમમાં પણ ગયા હતા. હાલમાં જ વૃંદાવનમાં પણ તે ગયા હતા. હવે કોહલીને ઋષિકેશમાં જોવામાં આવ્યો હતો. વૃંદાવનમાં જઇને આવ્યા બાદ તેમના બેટમાથી રન જોવા મળ્યા હતા. તેણે શતક પણ માર્યુ હતુ. ત્યાર બાદ હવે ફેન્સનું કહેવુ છે કે, કોહલી હવે ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીજમાં પણ શતક મારશે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફેબ્રુઆરીમાં ટેસ્ટ સીરીજ રમાશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીના નામથી આ સીરીજનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્લ્ડ ટેસ્ટ ચૈમ્પિયનશિપના ભાગ રૂપે કરવામાં આવશે. કોહલીનું રન બનાવુ જરૂરી હશે. કોહલી પર ટેસ્ટ ટીમની બેટિંગ મોટા ભાગે નિર્ભર કરે છે. એવામાં ફેન્સને ખુશી છે કે, કોહલી સીરીજ પહેલા કોઇ ધાર્મિક સ્થળની મલાકાત લઇ રહ્યા છે. ત્યાર બાદ તે સીરીજ અને આઇપીએલ રમવામાં વ્યસ્ત થઇ જઇ જશે. ટેસ્ટ ચૈમ્પિયનશિપમાં ટીમ ઇંડિયા બીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા નંબર એક પર છે.












Click it and Unblock the Notifications
