World Cup 2023 Indian Squad : અક્ષર પટેલનું સપનું ચકનાચુર, આ ખેલાડીને વર્લ્ડ કપ ટીમમાં શામેલ
World Cup 2023 Indian Squad : થોડા દિવસોમાં વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે, જેના માટે ભારતીય અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનને આગામી ODI વર્લ્ડ કપ-2023 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઇજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાન પર આર અશ્વિનને 15 સભ્યોની ટીમમાં તક મળી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ગુરુવારના રોજ આ મોટી જાહેરાત કરવામાં આવી હતી.

અક્ષર પટેલનું તૂટ્યુ સપનું - ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને 37 વર્ષીય અશ્વિનની પસંદગી કરવામાં આવી છે. તે તેના ડાબા ક્વાડ્રિસેપ્સની ઈજામાંથી બહાર આવી શક્યો નથી. 15 સપ્ટેમ્બરના રોજ બાંગ્લાદેશ સામેની એશિયા કપ-2023ની મેચમાં અક્ષર પટેલ ઈજાગ્રસ્ત થયો હતો.
આ સાથે અક્ષર પટેલનું વનડે વર્લ્ડ કપ રમવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. અશ્વિન પહેલાથી જ ટીમ સાથે ગુવાહાટી ગયો છે, જ્યાં 30 સપ્ટેમ્બરના રોજ પ્રેક્ટિસ મેચમાં તેનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે.
ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું - અશ્વિનને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI શ્રેણીમાં તક મળી હતી, જેમાં તેણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની બીજી વનડેમાં 3 વિકેટ ઝડપી હતી.
અશ્વિને મોહાલીમાં 1 વિકેટ પણ લીધી હતી. આ રીતે તેણે શ્રેણીમાં 2 મેચ રમી અને 4 વિકેટ લીધી હતી. ઉલ્લેખનીય છે કે, અશ્વિન લગભગ 20 મહિના બાદ આ ફોર્મેટમાં પાછો ફર્યો હતો, અને હવે તેને વર્લ્ડ કપની ટિકિટ મળી ગઈ છે.
અશ્વિન પાસે ઘણો અનુભવ છે - અશ્વિનને 115 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમવાનો અનુભવ છે. તેણે આ ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે 155 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 94 મેચમાં 489 વિકેટ લીધી છે. આ સિવાય તેણે 65 T20 ઈન્ટરનેશનલ મેચમાં 72 વિકેટ લીધી છે.
12 વર્ષ પછી મોટી તક - ભારતીય ટીમ પાસે 12 વર્ષ બાદ ODI વર્લ્ડ કપ જીતવાની મોટી તક છે. ટીમ ઈન્ડિયાએ 2011માં તેની યજમાનીમાં ODIમાં વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું. આ વખતે પણ ભારત વર્લ્ડ કપની યજમાની કરી રહ્યું છે. રોહિત શર્મા ICC ટૂર્નામેન્ટમાં ટીમનું નેતૃત્વ કરશે.
ભારતની અપડેટેડ અને ફાઇનલ વર્લ્ડ કપ ટીમ - રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટમેન), ઈશાન કિશન (વિકેટમેન), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને રવિચંદ્રન અશ્વિન
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
