ભારતીય ફેંસથી પરેશાન કપ્તાન ક્લાર્કની ઓસિ.ને મદદની આજીજી
સિડની, 24 માર્ચ: ગુરુવારે વિશ્વકપનો જોરદાર મુકાબલો થવાનો છે, આ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે બીજી સેમીફાઇનલ મેચ રમાશે. આ મેચને લઇને બંને દેશોના લોકો ખૂબ જ ઉત્સાહિત છે. તેમાં કોઇને શંકા નથી કે જે પ્રકારે વિશ્વકપમાં ટીમ ઇન્ડિયાએ પ્રદર્શન કર્યું છે તેને જોઇને ભારતના લોકોનો ઉત્સાહ બેગણો વધી ગયો છે એટલા માટે લગભગ આ મેચની 70 ટકા ટિકિટ હિન્દુસ્તાનીઓએ ખરીદી લીધી છે, જેના કારણે ઓસ્ટ્રેલિયાના કપ્તાન માઇકલ ક્લાર્ક ચિતિંત થઇ ગયા છે.

જોકે આયોજકોનું કહેવું છે કે ક્લાર્કની આ અપીલ હવે કામ નથી આવનારી કારણ કે ટિકિટો વેચાઇ ચૂકી છે. એમાં કોઇને પણ શંકા નથી કે સમર્થકોના ઉત્સાહ અને ચિયર્સથી કોઇપણ મેચનું પરિણામ બદલી શકે છે, એવામાં ક્લાર્કની ચિંતા જરાય ખોટી નથી. જોઇએ છે કે ઇન્ડિયન ફેંસના ઉત્સાહ, જોશ અને સમર્થનની હાજરીમાં ટીમ ઇન્ડિયા મેદાન પર શું કમાલ કરે છે?
નોંધનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા 26 માર્ચના રોજ એસસીજીમાં વિશ્વ કપ 2015ની બીજી સેમીફાઇનલ મેચ રમશે.












Click it and Unblock the Notifications
