ફરી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શકે છે ધોની, મળી શકે છે આ મોટી જવાબદારી!
ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ખરાબ હાર બાદ હવે ટીમ અને ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.
ટી20 વર્લ્ડકપમાં ભારતીય ટીમની ખરાબ હાર બાદ હવે ટીમ અને ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. નિષ્ણાતો જણાવી રહ્યા છે ભારતીય ટીમમાં મોટા ફેરફાર જરૂરી છે ત્યારે હવે ફરી એક વખત તમામની નજર મહેન્દ્રસિંહ ધોની તરફ મંડાઈ છે.

રિપોર્ટ અનુસાર, ભારતીય ક્રિકેટ બોર્ડ એવા માણસને લાવવા વિચારી રહી છે જેને ભારતને ક્રિકેટની ત્રણેય ICC ટ્રોફી જીતાડી છે. રિપોર્ટ અનુસાર, BCCI ભારતીય ક્રિકેટ સેટઅપમાં મહેન્દ્ર સિંહ ધોનીને મોટી ભૂમિકા આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BCCI ઈચ્છે છે કે મહેન્દ્ર સિંહ ધોની હવે ભારતીય ક્રિકેટ સાથે કાયમી કામ કરે.
અહીં તમને જણાવી દઈએ કે આ પહેલા ધોનીને T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમમાં મેન્ટર તરીકે અસ્થાયી નિયુક્તી અપાઈ હતી. જો કે તે બિલકુલ અસરકારક સાબિત થયો ન હતો. અહીં ધોની ન તો ખેલાડીઓ સાથે વધુ વાત કરતો જોવા મળ્યો હતો અને ન તો તેના કામ પર કોઈ અસર જોવા મળી હતી. તેના માટે આટલા ઓછા સમયમાં ભારતીય ટીમમાં ક્રાંતિકારી ફેરફાર કરવા શક્ય નહોતા.
મળતી વિગતો અનુસાર, હવે બોર્ડ ઈચ્છે છે કે ધોની લાંબો સમય ટીમ સાથે રહે અને આઈસીસી ટૂર્નામેન્ટમાં સતત મળતી નિષ્ફળતા ઘટાડવામાં મદદ કરે. આવતા વર્ષે ઑક્ટોબરમાં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ પર બીસીસીઆઈની નજર છે અને ભારત યજમાન દેશ હોવાના કારણે વર્લ્ડ કપ ટ્રોફી લાવવા માટે આતુર હશે.
રિપોર્ટ અનુસાર, BCCIએ સ્વીકાર્યું છે કે રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફોર્મેટમાં કામ જોવાનું સરળ કામ નથી. એટલા માટે BCCI કોચિંગની ભૂમિકાને વિભાજિત કરવા માંગે છે. હવે બીસીસીઆઈ ધોનીને અજમાવવા માંગે છે. આ મહિનાના અંતમાં યોજાનારી એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે.
અહેવાલો અનુસાર, મહેન્દ્ર સિંહ ધોની આવતી IPL રમીને ત્યાંથી નિવૃત્તિ લેશે. આ સ્થિતિમાં BCCI તેના અનુભવ અને તકનીકી કુશળતાનો ઉપયોગ કરવા માંગે છે. બે વખતના વર્લ્ડ કપ વિજેતા મહેન્દ્ર સિંહ ધોનીને ખેલાડીઓ સાથે કામ કરવા માટે કહેવામાં આવી શકે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
