આ કારણે થઇ સાગર રાણાની મોત, પોસ્ટમોટર્મ રિપોર્ટમાં થયો ખુલાસો
23 વર્ષીય યુવા રેસલર સાગર રાણાના મોત વિશે ઘણા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન સુશીલ કુમાર, જે હાલમાં ભારતનો સૌથી સફળ રેસલર માનવામાં આવે છે, તેના પર સાગર રાણાની હત્યા કરવાનો આરોપ છે. જોકે સુશી
23 વર્ષીય યુવા રેસલર સાગર રાણાના મોત વિશે ઘણા ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે. બે વખતના ઓલિમ્પિક ચેમ્પિયન સુશીલ કુમાર, જે હાલમાં ભારતનો સૌથી સફળ રેસલર માનવામાં આવે છે, તેના પર સાગર રાણાની હત્યા કરવાનો આરોપ છે. જોકે સુશીલે સાગરના મૃત્યુ પછી નિવેદન આપ્યું હતું, કે આ કેસ સાથે તેમનુ કોઈ લેવા દેવા નથી, પરંતુ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ તેમનુ જૂઠ્ઠાણા પકડાયુ હતુ. તેમનુ ગેંગસ્ટર સાથે સંબંધ હોવાનું મનાય છે. સાગરની હત્યા કેવી રીતે થઈ અને તેનું કારણ શું હતું તે જાણવા પોલીસ સુશીલ અને તેના સાથીની પૂછપરછ કરી રહી છે. પરંતુ હવે સાગર રાણા નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બહાર આવ્યો છે, જે બતાવે છે કે તેના પર ખૂબ જ નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પહેલવાનનુ મોત થયુ હતું.
માથા પર જોરથી મારતા થયુ મોત
અહેવાલમાં ખુલાસો થયો છે કે સાગરને માથે તીક્ષ્ણ ધાર વાળા હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. એટલે કે, હોકી, લાકડીઓ, બેસબોલના બેટ સમાન હથિયારથી સાગરના માથા પર હુમલો કર્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર સાગરને માથામાં ઉંડી ઈજાને કારણે મોત નીપજ્યું હતું. બાબુ જગજીવન રામ મેમોરિયલ હોસ્પિટલ (બીજેઆરએમ) ના ડોક્ટરોનું માનવું છે કે શરીર પર મળેલા તમામ નિશાન મૃત્યુ પૂર્વેના છે.
શરીર પર વાદળી નિશાન
અહેવાલો જણાવે છે કે સાગરના શરીર પર ઘણી જગ્યાએ વાદળી નિશાન હતા. માથાથી ઘૂંટણ સુધીના નિશાન મળી આવ્યા છે. તેના ઘા ખૂબ ઉંડા છે કે હાડકાં પણ ભાંગી ગયા છે. રિપોર્ટ અનુસાર, તપાસ માટે વિસેરા અને લોહીના નમૂના લેવામાં આવ્યા છે. 97 કિલો ગ્રીકો-રોમન કેટેગરીમાં ભાગ લેનાર સાગર 4 મેના રોજ છત્રસલ સ્ટેડિયમના પાર્કિંગની જગ્યામાં બે જૂથો વચ્ચે થયેલા ઝઘડામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. પહેલવાન સાગરને તા .5 મેના રોજ સવારે 2:52 વાગ્યે નજીકની બીજેઆરએમ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું સારવાર દરમ્યાન સવારે 7: 15 વાગ્યે અવસાન થયું હતું.
સુશીલની કરાઇ રહી છે પુછપરછ
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચની ટીમ સુશીલ કુમારને આજે (મંગળવારે) નવી દિલ્હીના છત્રસલ સ્ટેડિયમમાં સાગર રાણાની હત્યાની તપાસ હેઠળ લઈ ગઈ હતી. સુશીલને મંગળવારે સવારે 4 વાગ્યે ઘટના સ્થળે લઈ જવામાં આવ્યો હતો. વધુ તપાસ માટે 2 વખતના ઓલિમ્પિક ચંદ્રક વિજેતા સુશીલને પણ તેમના મોડેલ ટાઉન નિવાસમાં લઈ જવામાં આવ્યો હતો. સુશીલ કુમારને પોલીસ કસ્ટડીમાં 6 દિવસના રિમાન્ડ પર લેતાં પોલીસે સોમવારે લગભગ 4 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. સુશીલ અને તેના સાથી અજય કુમારને સાગર રાણાની હત્યામાં સામેલ થવા બદલ રવિવારે સવારે દિલ્હીના મુંડકા વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.