For Daily Alerts
ICCએ મયપ્પન અને બુકીઓના સંબંધો અંગે BCCIને ચેતવ્યું હતું
સૂત્રોનું કહેવું છે કે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ આઇપીએલ 6 શરૂ થઇ એ પહેલા જ બીસીસીઆઇને આ અંગે માહિતી આપી હતી. આમ છતાં બીબીસીઆઇ આ મામલે કેમ નિષ્ક્રિય રહ્યું તે પ્રશ્નો હવે ઉઠી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં મયપ્પનની ધરપકડ ફિક્સિંગ મામલે કરવામાં આવી છે.
આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ મુદ્દે નવી દિલ્હી પોલીસ અને મુંબઇ પોલીસ દેશભરમાં છાપા મારીને વિગતો મેળની અને તેની ઉંડી તપાસ કરીને શોધખોળ ચલાવી રહી છે. આ દિશામાં તેમને સફળતા પણ મળી છે.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ સ્પોટ ફિક્સિંગની તપાસ કરવા માટે રચેલી ત્રણ સભ્યોના તપાસ પંચે ગુરુનાથ મયપ્પન, ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની ફ્રેન્ચાઇઝીના માલિકોની પણ તપાસ કરવાનો નિર્ણય લીધો છે.
icc bcci mayappan bookies spot fixing ipl આઇસીસી બીસીસીઆઇ મયપ્પન બૂકીઓ સ્પોટ ફિક્સિંગ આઇપીએલ cricket
English summary
ICC had warned BCCI on bookies and Mayappan relationships.
Story first published: Friday, May 31, 2013, 17:34 [IST]