દુ:ખી ગાંગુલીએ કહ્યું, 'દોષી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લાગે'
ગાંગુલીએ કહ્યું કે કેટલાંક ખેલાડી ક્રિકેટને કલંકિત ના કરી શકે. તેમને ફિક્સિંગ માટે કોઇ મજબૂર ના કરી શકે. આ કામ માત્ર ક્રિકેટર જ કરી શકે છે બીજું કોઇ નહીં. હું શ્રીસંતથી ઘણો ઉદાસીન છું. આની સાથે તેમણે કહ્યું કે આ સંપૂર્ણ રીતે ટેલેન્ટને વ્યર્થ કરનારી પ્રવૃત્તિ છે. ગાંગુલીએ કહ્યું કે હું રાહુલ દ્રવિડ માટે ખરેખર દુ:ખી છું. ગાંગુલીએ જણાવ્યું કે દોષી ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ લગાવવો જોઇએ.
બીસીસીઆઇએ આખા મામલામાં તપાસ પૂરી થવા સુધી બધા જ આરોપી ખેલાડીઓને આઇપીએલથી સસ્પેન્ડ કરી દીધા છે. બીસીસીઆઇ સંચાલન અધિકારી પ્રો. રત્નાકર શેટ્ટીએ પત્રકારોને જણાવ્યું કે, આ મામલામાં ક્રિકેટ બોર્ડનું સખત વલણ જારી રહેશે.
બોર્ડ પહેલા પણ ફિક્સિંગ જૈવા મુદ્દાને લઇને પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યું છે અને ક્રિકેટની ભાવનાને ઠેસ પહોંચાડનાર લોકોની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે અને બોર્ડ આ મામલામાં પણ નિયમોનુંસાર આરોપી ખેલાડીઓ પર કાર્યવાહી કરશે.