Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs NZ : સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે કેવી હશે ભારતની રણનીતિ? જાણો શું કહ્યું કુલદિપ યાદવે?

વર્લ્ડ કપના લીગ રાઉન્ડમાં તમામ ટીમોને કચડીને હવે ભારતીય ટીમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાવા જઈ રહી છે. આ મેચ પહેલા સ્પીનર કુલદીપ યાદવે રણનીતિનો ખુલાસો કર્યો છે.

કુલદીપ યાદવે કહ્યું કે, વાનખેડે બોલરો માટે મુશ્કેલ સ્થળ છે અને ભારતને ન્યૂઝીલેન્ડ પર હાવી થવા વહેલી વિકેટની જરૂર પડશે. ભારત બુધવારે મુંબઈમાં ન્યુઝીલેન્ડ સામે મેદાને ઉતરશે.

Indian cricket team

કુલદીપ યાદવે આગળ કહ્યું કે, વાનખેડેમાં લિંગ કરવી મુશ્કેલ છે. બાઉન્સ યોગ્ય છે અને ત્યાં બેટ્સમેનો મોટાભાગે હાવી રહે છે. T20 થી વિપરીત અહીં બોલરો પાસે ચોક્કસપણે રમતમાં પાછા આવવા માટે સમય છે પરંતુ તમારે મેચ અને વિરોધીઓ પર પ્રભુત્વ મેળવવા માટે પ્રારંભિક વિકેટની જરૂર પડશે.

કુલદીપ યાદવે વધુમાં કહ્યું કે, 2019ની સેમીફાઈનલ ચાર વર્ષ પહેલા થઈ હતી. અમે તે પછી ઘણી દ્વિપક્ષીય શ્રેણી રમી છે અનેે અમે પરિસ્થિતિ જાણીએ છીએ. અમારી તૈયારી સારી રહી છે અને અમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન સારું ક્રિકેટ રમી શક્યા છીએ. અમને આશા છે કે આગામી મેચમાં પણ તે જ લયમાં રહીશું.

કુલદીપે ભારતના સ્પિન વિભાગમાં મહત્વની ભૂમિકા ભજવી છે, તેણે નવ મેચોમાં 4.15ના ઉત્તમ ઇકોનોમી રેટથી 14 વિકેટ લીધી છે. નોકઆઉટ મેચનું દબાણ ઘટાડતા કુલદીપે કહ્યું કે, તેનું ધ્યાન પોતાની શક્તિઓ સાથે કામ કરવા પર રહેશે.

કુલદીપ યાદવે કહ્યું કે, હું માત્ર મારી લય અને તાકાત પર કામ કરું છું. હું એ વાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરું છું કે બેટ્સમેન મને કેવી રીતે રમવાનો પ્રયાસ કરે છે. મારો ઉદ્દેશ્ય શક્ય તેટલી સારી લંબાઈવાળા વિસ્તારોમાં બોલને ફેંકવાનો છે. હું વિકેટને બદલે પ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. આશા છે કે તે આગામી મેચમાં પણ કામ કરશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X