IND Vs WI : પહેલા બે વનડે માટે ટીમમાંથી બહાર થયો રવિન્દ્ર જાડેજા, આ છે કારણ!

ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત સાથે જ મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમનો મજબૂત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે.

પોર્ટ ઓફ સ્પેન : ટીમ ઈન્ડિયાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની શરૂઆત સાથે જ મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ટીમનો મજબૂત ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થયો છે, જેના કારણે તે વિન્ડીઝ સામેની પ્રથમ બે વનડેમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને તેના જમણા ઘૂંટણમાં ઈજા થઈ છે, જેના કારણે તે પ્રથમ બે વનડે રમી શકશે નહીં.

IND Vs WI

બીસીસીઆઈ તરફથી વધુમાં કહેવામાં આવ્યું છે કે જાડેજાને મેડિકલ ટીમની દેખરેખમાં રાખવામાં આવ્યો છે અને બે વન-ડે પછી જ મેડિકલ ટીમ નક્કી કરશે કે જાડેજા છેલ્લી વનડેમાં રમી શકશે કે નહીં. પ્રથમ વનડેમાં જાડેજાના સ્થાને અક્ષર પટેલને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે, જાડેજાની ટીમમાંથી બહાર થવું એ એક મોટો ફટકો છે, કારણ કે જાડેજા તાજેતરના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ફોર્મમાં જોવા મળ્યો હતો. જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

તમને જણાવી દઈએ કે વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માની સાથે આરામ આપવામાં આવ્યો છે. રોહિતની જગ્યાએ શિખર ધવન ટીમની કમાન સંભાળી રહ્યો છે. ધવન ગયા વર્ષે શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનો કેપ્ટન પણ હતો. રોહિત શર્મા અને ઋષભ પંત ટી-20 શ્રેણીમાં વાપસી કરશે, પરંતુ વિરાટ અને બુમરાહને ટી-20 શ્રેણીમાંથી પણ બ્રેક આપવામાં આવ્યો છે. આજે પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X