Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આઇપીએલએ ખેલાડીઓને લાલચી બનાવી દીધા છે: રણતુંગા

નવી દિલ્હી, 1 જૂન : સ્પોટ ફિક્સિંગને લઇને શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર અર્જૂન રણતુંગાનું કહેવું છે કે આઇપીએલે ખેલાડીઓને લાલચી બનાવી દીધા છે. હવે તે દેશ માટે રમવા નથી માંગતા. તેમનું માનવું છે કે આઇપીએલએ બીસીસીઆઇ બદનામી સિવાય કશું જ આપ્યું નથી.

ઉલ્લેખનીય છે કે સ્પોટ ફિક્સિંગમાં ભારત માટે રમી ચૂકેલા શ્રીસંતની ધરપકડ થઇ છે. તેમનું કહેવું છે કે ફિક્સિંગની ઘટનાઓ લીગના પ્રારંભથી જ થઇ રહી છે. આઇપીએલએ વિશ્વ ક્રિકેટને કઇ આપ્યું નથી, પરંતુ દરેક સિઝનમાં કોઇને કોઇ વિવાદ જરૂર થાય છે.

arjun ranatunga
શ્રીલંકા માટે વિશ્વકપ જીતનાર એકમાત્ર ખેલાડી અર્જુન રણતુંગાએ કહ્યું કે આ ખૂબ જ નિરાશાજનક છે કે ઘણા પૂર્વ ખેલાડીઓ પણ રૂપિયા માટે આઇપીએલમાં જોડાયા છે. ભારતમાં માત્ર હરાપલ્લી પ્રસન્નાએ જ આની ટીકા કરી છે. આઇપીએલ દેશને સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ જેવા ખેલાડીઓ આપી શકશે નહી.

ભારતીય રમતનું માળખુ એટલું મજબૂત છે કે સારા ખેલાડીઓ આવી શકે. મને નથી લાગતુ કે આ લીગની જરૂરીયાત દેશને છે. આ લીગથી હજી સુધી કોઇ વિશ્વસ્તરીય ખેલાડી નીકળીને આવ્યો નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X