For Quick Alerts
For Daily Alerts
ગાવસ્કરે એવું તો શું કહ્યું કે લક્ષ્મણની લાગણી દુભાઇ!
લક્ષ્મણ ગઇકાલે હૈદરાબાદ ક્રિકેટ એશોસિએશન આવ્યા હતા, જ્યાં તેમણે સાત યુવા ખેલાડીઓને સમ્માનિત કર્યા. સમાચાર પત્ર 'દ હિન્દુ'ના અનુસાર લક્ષ્મણે કહ્યું કે 'હું એ વાતથી દુ:ખી છું કે એક પૂર્વ મહાન ખેલા઼ડીએ હૈદરાબાદમાં ક્રિકેટના સ્ટેંડર્ડ પર આ પ્રકારની ટિપ્પણી કરી.' મને યાદ છે કે 1987માં હૈદરાબાદે રણજી ટ્રોફી જીતી હતી, જ્યારે એ પહેલા શહેરમાં આંતરરાષ્ટ્રીય ટેસ્ટ અને વનડે મેચોનું આયોજન ઓછું થતું હતું.
લક્ષ્મણે પોતાના જૂના દિવસોને યાદ કરતા કહ્યું કે એ વખતે અહીં એટલી સુવિધાઓ ન્હોતી જ્યારે મેં મારુ કરિયર શરૂ કર્યું હતું. પરંતુ હવે અત્રે સારી સુવિધાઓ ઉપલબ્ધ છે. લક્ષ્મણે બારતની તરફથી 131 ટેસ્ટ મેચ, 8,781 રન બનાવ્યા. જેમાં તેમણે 17 સદી અને 56 અર્ધસદી ફટકારી છે. જ્યારે 86 વનડે મેચમાં લક્ષ્મણે 6 સદી અને 10 અર્ધસદીની મદદથી 2,338 રન બનાવ્યા છે.
Comments
vvs laxman sunil gavaskar hyderabad team india સુનિલ ગાવસ્કર ક્રિકેટ હૈદરાબાદ વીવીએસ લક્ષ્મણ cricket
English summary
Former India batsman VVS Laxman has said he was "deeply hurt" by former captain Sunil Gavaskar's adverse comment on the standard of Hyderabad cricket.
Story first published: Monday, June 17, 2013, 18:16 [IST]