કેપ્ટન કૂલ મિસ્ટર ધોનીએ બનાવ્યો કેપ્ટનશિપનો નવો રેકોર્ડ
સિડની, 18 ડિસેમ્બર: ગાબાની ઉછાળ ભરેલી પીચો પર અત્યાર સુધી ભારતે જે પ્રકારે પ્રદર્શન કર્યું છે તેને જોઇને લાગે છે કે ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બ્રિસબેન ટેસ્ટ શરૂ થતાં પહેલાં જે કહ્યું હતું તે ખોટું ન હતું અને તેના લીધે તો કદાચ તેમની ગણતરી વિશ્વના સૌથી સફળ કેપ્ટનોની યાદીમાં થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધોનીએ બ્રિસબેન ટેસ્ટ પહેલાં કહ્યું હતું કે તેમની ટીમ બ્રિસબેનમાં એડીલેડ ટેસ્ટની હારનો બદલો લેશે.
અને કદાચ આ જ કારણ છે કે તે કેપ્ટન તરીકે રેકોર્ડ પર રેકોર્ડ બનાવવા જઇ રહ્યાં છે. બ્રિસબેન ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ કરી રહેલા કેપ્ટન ધોની હવે વિદેશી ધરતી પર પણ સૌથી વધુ ટેસ્ટ મેચોની કેપ્ટનશીપ કરનાર ભારતીય કેપ્ટન બની ગયા છે. આ પહેલાં તેમના નામ પર સૌથી વધુ ટેસ્ટ મેચોમાં કેપ્ટનશીપ કરવાનો અને સૌથી વધુ મેચોમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવવાનો રેકોર્ડ છે.

કેપ્ટન કૂલ મિસ્ટર ધોનીએ બનાવ્યો કેપ્ટનશીપનો નવો રેકોર્ડ
કેપ્ટન તરીકે ધોની બ્રિસબેનમાં પોતાની કેરિયરની 12મી ટેસ્ટ મેચ રમી રહેલા છે, આ પહેલાં વિદેશી ધરતી પર પણ સૌથી વધુ ટેસ્ટમાં કેપ્ટનશિપ કરવાનો રેકોર્ડ નવાબ મંસૂર અલી ખાં પટોડીના નામે હતો જેમણે 11 ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી હતી.
કેપ્ટન તરીકે ધોનીની બ્રિસબેનમાં 12મી ટેસ્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાએ અત્યાર સુધી ધોનીના નેતૃત્વમાં 57 મેચ રમી છે જેમાંથી 27 મેચોમાં ભારત જીત્યું છે અને 17માં તેને હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે 14 ટેસ્ટ મેચમાં કોઇ પરિણામ આવ્યું નથી.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
