હેટ્રિક જીતની સાથે ઝિમ્બાબ્વે સીરિઝમાં ભારતની અજેય બઢત
હરારે, 29 જુલાઇ : ભારતના યુવાન કપ્તાન વિરાટ કોહલીએ ઝિમ્બાબ્વેની સામે પાંચ મેચોની શ્રેણીમાં 3-0થી અપરાજેય બઢત બનાવ્યા બાદ જણાવ્યું કે તેમના માટે આ શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. વિરાટે ત્રીજી વનડે સાત વિકેટથી જીત્યા બાદ મીડિયાને જણાવ્યું કે અમને બોલિંગથી જે શરૂઆતી સફળતાઓ મળી તેનો અમને ફાયદો મળ્યો. અમારી સામે જે લક્ષ્ય હતું તે બહું મુશ્કેલ ન્હોતું.
ત્રીજી વનડેમાં મેચ વિજયી અડધી સદી બનાવનાર વિરાટ કોહલીએ જણાવ્યું કે અમે અમારી સામે કોઇ લક્ષ્ય રાખીને ન્હોતાના રમી રહ્યા. અમે તો એ પણ ન્હોતું વિચાર્યું કે અમારે આજે જ શ્રેણી પર કબજો જમાવી લેવાનો છે. ઝિમ્બાબ્વેની લાઇનઅપમાં કેટલાંક અનુભવહિન ખેલાડી છે અને તેઓ હજી પણ કોશિશ કરી રહ્યા છે.
કપ્તાને ભારતીય ટીમ માટે જણાવ્યું કે હું આ ટીમના કેટલાંક અનુભવી ખેલાડીઓમાંથી એક છું અને હું જવાબદારી લેવાનો સંપૂર્ણ પ્રયાસ કરું છું. ઝિમ્બાબ્વેના બોલરોએ જોકે સારી એવી બોલિંગ કરી. તેઓ જાણતા હતા કે કઇ વિકેટ પર કેવી બોલિંગ કરવી જોઇએ. તેમણે બે નવા બોલનો સારો ઉપયોગ કર્યો. અમારા ઝડપી બોલરો તેમની આ રમતથી જરૂર કઇ શીખ લેશે.
આ પહેલા ભારતીય બોલરોની આગળ ઝિમ્બાબ્વેના બેટ્સમેનોએ ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો અને આખી ટીમ 46 ઓવરમાં 183 રન બનાવીને સમેટાઇ ગઇ. ભારતે 35.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 187 રન બનાવીને મેચ પોતાના નામે કરી લીધી. ટીમ તરફથી કપ્તાન કોહલીએ સર્વાધીક 68 રનોની અણનમ પારી ખેલી.
Harare
Indian bowler Jaidev Unadkat bowls on the third day of the cricket match against Zimbabwe in Harare, Sunday, July 28, 2013.
Zimbabwean batsman
Zimbabwean batsman Sean Williams, centre, plays a shot as Indian fielders Virat Kohli,right and Dinesh Karthik look on, on the third day of the cricket match against Zimbabwe in Harare,Sunday,
Ambati Rayadu
Indian player Ambati Rayadu, centre, walks off the pitch with an injury during the third one-day international cricket match against Zimbabwe, in Harare, Sunday,
Virati Kohli and Suresh Raina
Indian batsman Virati Kohli, left and Suresh Raina walk off the pitch after beating Zimbabwe by 7 wickets during their third one-day international cricket match, in Harare, Sunday.
ઝિમ્બાબ્વેમાં શ્રેણી જીતવી મહત્વપૂર્ણ હતી : વિરાટ કોહલી
ભારતના યુવાન કપ્તાન વિરાટ કોહલીએ ઝિમ્બાબ્વેની સામે પાંચ મેચોની શ્રેણીમાં 3-0થી અપરાજેય બઢત બનાવ્યા બાદ જણાવ્યું કે તેમના માટે આ શ્રેણી જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ હતી. વિરાટે ત્રીજી વનડે સાત વિકેટથી જીત્યા બાદ મીડિયાને જણાવ્યું કે અમને બોલિંગથી જે શરૂઆતી સફળતાઓ મળી તેનો અમને ફાયદો મળ્યો. અમારી સામે જે લક્ષ્ય હતું તે બહું મુશ્કેલ ન્હોતું.