For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાળા સાહેબ ઠાકરેના નિધન પર સચિને વ્યક્ત કર્યો શોક

By Super
|
Google Oneindia Gujarati News

sachin
અમદાવાદ, 18 નવેમ્બરઃ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શિવસેના પ્રમુખ બાળ ઠાકરેના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે. સચિન હાલ અમદાવાદમાં ટેસ્ટ રમી રહ્યાં છે, તેથી તે વ્યક્તિગત રીતે ઠાકરેને અંતિમ વિદાય નહીં આપી શકે.

સચિને એક ન્યુઝ ચેનલને કહ્યું છે,' બાળા સાહેબના નિધનના સમાચાર સાંભળીને ઘણું દુઃખ થયું. મહારાષ્ટ્ર માટે તેમણે ઘણું યોગદાન છે. તેમની ખોટ વર્તાશે. દુર્ભાગ્યવશ હું હાલ અમદાવાદમાં છું, નહીં તો હું જાતે જ બાળા સાહેબને આખરી વિદાય આપવા ઇચ્છતો હતો. તેમના પરિવારને ભગવાન શક્તિ અર્પે. ભગવાન તેમની આત્માને શાંતિ અર્પે.'

સચિન તેંડુલકર અને બાળ ઠાકરે બન્ને મહારાષ્ટ્રના લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે, પરંતુ એવું ઘણી વખત થયું કે બન્ને વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થઇ. વર્ષ 2009માં એક પત્રકાર પરિષદમાં સચિન તેંડુલકરે કહ્યું હતું કે, હું મરાઠી છું અને મને તેનો ગર્વ છે, પરંતુ હું પહેલા ભારતીય છું અને મુંબઇ બધા ભારતીયોનું છે. જેના જવાબમાં ઠાકરેએ કહ્યું હતું કે, તે(સચિન) ક્રિકેટની પીચ પર બેટિંગ કરે, રાજકારણની પીચ પર બેટિંગ ના કરે.

English summary
The cricketing fraternity today condoled the sad demise of Bal Thackeray with fellow Maharashtrian Sachin Tendulkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X