ડિવોર્સ બાદ પણ અડીખમ છે સાનિયા મિર્ઝા, કર્યો મોટો ખુલાસો
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા તેના પુર્વ પતિ શોએબ મલિક સાથેના ડિવોર્સને લઈને ચર્ચા છે. હવે સાનિયા મિર્ચાએ ડિવોર્સ બાદ પહેલી વખત ખુલાસો કર્યો છે.
શોએબ મલિકના સના જાવેદ સાથે લગ્ન કર્યા છે. હવે શોએબના લગ્નના આટલા દિવસો પછી સાનિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

સાનિયા અને શોએબ વચ્ચે છૂટાછેડાની અફવા છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જ્યારે સમાચાર આવ્યા કે બંને અલગ થઈ ગયા છે અને શોએબે ત્રીજી વખત લગ્ન કર્યા છે ત્યારે ચાહકોનું દિલ તૂટી ગયું. હવે સાનિયાએ એક સ્ટોરી શેર કરી છે, જેમાં તેણે કંઈક એવું લખ્યું છે જેનાથી ફેન્સ તેના વિશે થોડા ચિંતિત દેખાયા.
સાનિયા મિર્ઝાએ એક તસવીર શેર કરી અને લખ્યું કે, જીવનની નાની નાની બાબતોનો આનંદ લો. એવું લાગે છે કે સાનિયા તેની ટૂંકી સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના ચાહકોને કહેવાનો પ્રયાસ કરી રહી છે કે તે તેના અંગત જીવનની સમસ્યાઓથી આગળ વધી ગઈ છે. શોએબથી અલગ થયા બાદ તે પોતાના જીવનમાં આગળ વધી રહી છે.
હાલમાં જ સાનિયા મિર્ઝાએ એક તસવીર શેર કરી હતી જેમાં તેણે તેના પુત્ર અને ભત્રીજીને ફિટ પકડી રાખ્યા હતા. તેમાં કેપ્શન લખ્યું હતું - લાઈફલાઈન.
જણાવી દઈએ કે સાનિયાની બહેન અનમના લગ્ન ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના પુત્ર સાથે થયા છે. તેનું નામ મોહમ્મદ અસદુદ્દીન છે અને તે વ્યવસાયે વકીલ છે જે ધીમે ધીમે તેના પિતાની જેમ રાજકારણમાં પ્રવેશી રહ્યો છે. અનમની વાત કરીએ તો તે વ્યવસાયે ફેશન ડિઝાઇનર છે.












Click it and Unblock the Notifications
