For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્પોટ ફિક્સિંગના ખલનાયકોને સજા થવી જોઇએ : કોહલી

|
Google Oneindia Gujarati News

virat-kohli
મુંબઇ, 20 જુલાઇ : ભારતના કાર્યવાહક કેપ્ટન વિરાટ કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સ્પોટ ફિક્સિંગ કૌભાંડમાં સંડોવાયેલાઓને વિલન તરીકે ઓળખાવ્યા છે. કોહલીનું એવું માનવું છે કે આવા ખલનાયકોને સજા થવી જોઈએ.

કોહલી એક કાર્યક્રમ દરમિયાન મુંબઇ આવ્યો હતો. મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે હિરો તો એવી વ્યક્તિને કહેવાય જે રમતનું માન જાળવે અને રમતને ભ્રષ્ટ ન બનાવે. જે લોકો રમતને માન આપતા નથી કે તેને ભ્રષ્ટ બનાવે છે તેઓ વિલન છે. એમને સજા થવી જોઈએ અને એવી વ્યક્તિઓને ભૂતકાળમાં પણ સજા થઈ ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલની રાજસ્થાન રોયલ્સ ટીમના ત્રણ ખેલાડી એસ શ્રીસંત, અજિત ચાંડિલા અને અંકિત ચવ્હાણની દિલ્હી પોલીસે સ્પોટ ફિક્સિંગમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી અને તેઓ હાલ જામીન પર છૂટ્યા છે.

English summary
Spot fixing villains should be punished : Kohli
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X