T20 WC 2021 : ભારતની ટીમમાંથી આ 3 ખેલાડીઓનાં પત્તા કપાઈ શકે છે!
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 8 સપ્ટેમ્બરે જ કરવામાં આવી હતી, પરંતુ આઈપીએલ 2021 ના બીજા તબક્કામાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે પસંદગીકારોને ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે.
નવી દિલ્હી : ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 8 સપ્ટેમ્બરે જ કરવામાં આવી હતી, પરંતુ આઈપીએલ 2021 ના બીજા તબક્કામાં કેટલાક ખેલાડીઓના ખરાબ પ્રદર્શનના કારણે પસંદગીકારોને ટીમમાં ફેરફાર કરવાની ફરજ પડી છે. ICC ના નિયમો અનુસાર તમામ દેશો 10 ઓક્ટોબર સુધી ટીમમાં ફેરફાર કરી શકે છે. એટલે કે BCCI પાસે હજુ 2 અઠવાડિયાનો સમય છે. ટી20 વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. હાલ આઈપીએલ સિઝનમાં કેટલાક ખેલાડીઓ એવા છે જેના કારણે તેનું ભારતની ટીમમાં સ્થાન જોખમમાં છે.

હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ પહેલા ફિટ અને ફોર્મમાં નથી. હાર્દિક પંડ્યાની નબળી ફિટનેસ છતાં ભારતીય પસંદગીકારોએ તેને ટી20 વર્લ્ડ કપની ટીમ માટે પસંદ કર્યો છે, કારણ કે તેની પાસે મેચ પલટાવાની તાકાત છે. હાર્દિક પંડ્યા અનફિટ હોવાથી શાર્દુલ ઠાકુરને ફાયદો થઈ શકે છે. શાર્દુલ ઠાકુરનું હાલમાં ફોર્મ શાનદાર છે અને તે ટીમ ઇન્ડિયા માટે મજબૂત ઓલરાઉન્ડર રહ્યો છે. તેમ છતાં શાર્દુલ ઠાકુરને આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2021 ટીમમાં સ્ટેન્ડબાય ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા નહીં રમે તો શાર્દુલ ઠાકુરને તક મળવાની ખાતરી છે.

ભુવનેશ્વર કુમાર
ભુવનેશ્વર કુમારનું નબળુ પ્રદર્શન ટી20 વર્લ્ડ કપ પહેલા બધા સામે આવ્યું છે. આઈપીએલમાં ભુવનેશ્વર કુમારની બોલિંગ જોઈને લાગતું નથી કે કોઈ બેટ્સમેનને તેનો સામનો કરવામાં તકલીફ પડી હોય. ભુવનેશ્વર કુમાર બિલકુલ ફોર્મમાં નથી. હાલના ભુવનેશ્વર કુમારના પ્રદર્શનને જોતા તેની ટી20 વર્લ્ડ કપ ટીમમાં કોઈ જગ્યા નથી. ભુવનેશ્વર કુમારની બોલિંગમાં ન તો કોઈ ગતિ છે અને ન તો તે પોતાની બોલિંગથી વિરોધી બેટ્સમેનોમાં ડર પેદા કરી શકે છે. આ સ્થિતિમાં પસંદગીકારો મોહમ્મદ સિરાજ અને ટી નટરાજન જેવા ઝડપી બોલરોને તક આપી શકે છે.

ઈશાન કિશન
ઇશાન કિશનનો ફ્લોપ શો ટી20 વર્લ્ડ કપમાં તક મળ્યા બાદથી ચાલુ છે. ઇશાન કિશન માટે પસંદગીકારોએ શિખર ધવનને ટી 20 વર્લ્ડ કપ ટીમમાંથી બહાર કરી દીધો હતો. આઇપીએલમાં ઇશાન કિશનનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. આ નબળા પ્રદર્શનને જોતા ધવનની એન્ટ્રીની શક્યતા છે. ICC દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમો અનુસાર ટીમ મેનેજમેન્ટ હજુ પણ તેની ટીમમાં ફેરફાર કરી શકે છે. આ સ્થિતિમાં ઇશાન કિશનને ટી20 વર્લ્ડ કપની ટીમમાંથી પડતો મૂકવાની માંગ ઉઠી છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
