ઇંગ્લેન્ડ સામે શ્રેણી જીતીને ધોની બ્રિગેડ ફરી બન્યું સરતાજ
મોહાલી, 23 જાન્યુઆરી: ઓપનીંગમાં ઉતરેલા રોહિત શર્મા (83) અને ફોર્મમાં ચાલી રહેલા સુરેશ રૈના અણનમ (89)ની શાનદાર અર્ધસદી થકી ભારતે ઇંગ્લેન્ડને ચોથી વનડેમાં પાંચ વિકેટથી હરાવીને પાંચ મેચોની શ્રેણીમાં 3-1 થી અજેય બઢત બનાવી લીધી છે. રૈનાને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયા છે. કપ્તાન ધોનીએ જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ટીમ હવે ફરીથી લયમાં આવી રહી છે. આની સાથે ભારત ફરીથી વનડે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે આવી ગયું છે.
ભારતે રાંચીમાં ત્રીજી વનડેમાં સરળ જીતની સાથે ઇંગ્લેન્ડને પછાડીને વનડે રેન્કિંગમાં ફરીથી શ્રેષ્ઠ સ્થાન હાંસલ કરી લીધું છે અને હવે મોહાલીની જીતની સાથે નંબર એક પર પોતાની પકડ વધુ મજબુત કરી લીધી છે.
આ પહેલા કપ્તાન એલેસ્ટેર કૂક (76) અને કેવિન પીટરસન (76) રનોની મહત્વપૂર્ણ પારીના કારણે ઇંગ્લેન્ડે સાત વિકેટ પર 257 રનનો ચૂનોતીપૂર્ણ સ્કોર બનાવ્યો. પરંતુ તે ભારતની મજબૂત બેટિંગની આગળ ટકી ઢીંગળો સાબિત થયો.