9 વર્ષ સુધી ઘરે નથી ગયો મુંબઈ ઈન્ડિયન્સનો આ યુવા સ્ટાર, પ્રથમ જીત બાદ કહાની સંભળાવી!
ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત હાર આખરે અટકી ગઈ છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત ટાઈટલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે આ સિઝન ખૂબ જ શરમજનક રહી છે.
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની સતત હાર આખરે અટકી ગઈ છે. આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત ટાઈટલ જીતનારી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ માટે આ સિઝન ખૂબ જ શરમજનક રહી છે અને સતત 8 મેચ હાર્યા બાદ તે પ્લેઓફની રેસમાંથી પણ બહાર થઈ ગઈ હતી, ટીમનું પ્રદર્શન જોઈને તે ટીમ માટે ખૂબ જ શરમજનક રહી હતી. એવું લાગી રહ્યું હતું કે આ સિઝનમાં તેની પ્રથમ જીત મેળવવી એક મોટી ઉપલબ્ધિ હશે. પરંતુ કેપ્ટન રોહિત શર્માના જન્મદિવસના અવસર પર મુંબઈ ઈન્ડિયન્સની ટીમે રાજસ્થાન રોયલ્સ સામે સિઝનની પ્રથમ જીત મેળવીને કમબેક કર્યું અને હારનો સિલસિલો સમાપ્ત કર્યો.
મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે આ મેચમાં ઘણા ખેલાડીઓએ નાનું પરંતુ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેના કારણે ટીમને પ્રથમ જીત અપાવી હતી, જેમાં નવોદિત બોલર કુમાર કાર્તિકેયનો સમાવેશ થાય છે, જેણે તેની પ્રથમ ઓવરના બીજા બોલ પર સંજુ સેમસનને આઉટ કર્યો હતો.
મધ્યપ્રદેશથી આવેલા આ 24 વર્ષના યુવા બોલરે પોતાના પ્રદર્શનથી દુનિયાભરના દિગ્ગજોનું ધ્યાન ખેંચ્યું છે. સુકાની રોહિત શર્માએ મેચ બાદ કાર્તિકેયના વખાણ કર્યા હતા, તો ટીમની માલિક નીતા અંબાણીએ પણ તેને આગળ વધવાની શુભેચ્છા પાઠવી હતી. નોંધનીય છે કે જે સમયે કાર્તિકેય બોલિંગ કરવા આવ્યો ત્યારે રાજસ્થાનનો કેપ્ટન સંજુ સેમસન ખૂબ જ ખતરનાક રીતે બેટિંગ કરી રહ્યો હતો. પરંતુ કાર્તિકેયે તેની પહેલી જ ઓવરમાં તેની વિકેટ લઈને ટીમને રાહત કરાવી હતી.
કુમાર
કાર્તિકેય
ઉત્તર
પ્રદેશના
સુલતાનપુર
જિલ્લાનો
છે,
મધ્ય
પ્રદેશ
માટે
સ્થાનિક
સ્તરે
ક્રિકેટ
રમે
છે,
તે
માને
છે
કે
પોતે
એક
રહસ્યમય
બોલર
છે.
રાજસ્થાનની
ઇનિંગ્સ
ખતમ
થયા
બાદ
જ્યારે
આ
બોલર
સાથે
વાત
કરવામાં
આવી
તો
તેણે
કહ્યું
કે
તે
સફળતાની
શોધમાં
છેલ્લા
9
વર્ષથી
પોતાના
ઘરે
ગયો
નથી.
તેણે
કહ્યું,
'હું
છેલ્લા
9
વર્ષથી
ઘરે
ગયો
નથી.
મેં
નક્કી
કર્યું
હતું
કે
જ્યારે
હું
મારી
કારકિર્દીમાં
કંઈક
હાંસલ
કરીશ
ત્યારે
જ
હું
ઘરે
પાછો
જઈશ,
મારા
માતા-પિતા
મને
વારંવાર
ફોન
કરે
છે
અને
મને
ઘરે
આવવા
કહે
છે,
પરંતુ
મેં
મારી
જાતને
આ
વચન
આપ્યું
હતું
અને
હવે
આઈપીએલમાં
રમીને
કંઈક
હાંસલ
કર્યું
છે.
હવે
હું
મારા
ઘરે
જઈ
શકું
છું.
મારા
કોચ
સંજય
સરે
મધ્યપ્રદેશની
ટીમ
માટે
મારું
નામ
આપ્યું
હતું.
મારા
પ્રથમ
વર્ષમાં
જ્યારે
મારું
નામ
અંડર-23
ટીમ
માટે
સ્ટેન્ડ
બોય
પ્લેયર
તરીકે
સામે
આવ્યું
ત્યારે
મને
રાહત
થઈ
અને
મને
અહેસાસ
થયો
કે
હું
સાચા
ટ્રેક
પર
છું.
નોંધનીય છે કે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં કાર્તિકેયે પોતાના સ્પેલ દરમિયાન 9 ડોટ બોલ ફેંક્યા હતા અને IPL ડેબ્યૂ દરમિયાન માત્ર એક બાઉન્ડ્રી ખાધી હતી. તેણે કહ્યુંકે, 'હું એક મિસ્ટ્રી બોલર છું અને મને સારું લાગે છે. જ્યારે મને ખબર પડી કે હું આજે રમવાનો છું ત્યારે હું થોડો નર્વસ થઈ ગયો હતો પરંતુ એક જ રાતમાં મેં તમામ બેટ્સમેન માટે પ્લાન તૈયાર કરી લીધો હતો. હું સેમસનના પેડ્સ પર બોલિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જ્યારે સચિન સરે મને સલાહ આપી ત્યારે મને ઘણો આત્મવિશ્વાસ મળ્યો. હું ઈચ્છતો હતો કે મારી ટીમ જીતે, બોલ થોડો ફરતો હતો જેનો મેં ફાયદો ઉઠાવ્યો.