હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીની વાપસી ક્યારે? જાણો શું કહ્યું જય શાહે?
ભારતીય ક્રિકેટ ટીમ હાર્દિક પંડ્યા અને મોહમ્મદ શમીની ઈજાને કારણે પરેશાન છે. ફેન્સ બન્નેની જલ્દી વાપસીની રાહ જોઈ રહ્યા છે. હવે જય શાહે આ બન્ને ખેલાડીને લઈને મહત્વના સમાચાર આપ્યા છે.
વર્લ્ડ કપમાં ભારતની ચોથી મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો અને ત્યારથી તે ટીમ બહાર છે તો મોહમ્મદ શમી વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી ઇજાગ્રસ્ત થવાને કારણે બહાર છે.

ભારતીય ક્રિકેટ ટીમને ડિસેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની શ્રેણી રમવાની છે. ટીમ ઈન્ડિયાના પસંદગીકારોએ આ શ્રેણી માટે હાર્દિક પંડ્યાનો સમાવેશ કર્યો નથી, જ્યારે મોહમ્મદ શમીની ઈજા ઠીક થયા બાદ તેને રમવાની તક આપવામાં આવી શકે છે.
હવે BCCI સેક્રેટરી જય શાહે ટીમ ઈન્ડિયાના આ બે મુખ્ય ખેલાડીઓની ઈજાને લઈને મોટું અપડેટ આપ્યું છે.
BCCI સેક્રેટરી જય શાહે હાર્દિક પંડ્યાની ઈજા અંગે અપડેટ આપતા કહ્યું કે, હાર્દિક પંડ્યા ફિટ થઈ રહ્યો છે અને તે અફઘાનિસ્તાન શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે રમી શકે છે.
તમને જણાવી દઈએ કે, જાન્યુઆરીમાં ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે 3 મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે અને તે સીરીઝમાં હાર્દિક પંડ્યાની વાપસી થઈ શકે છે.
જય શાહે મોહમ્મદ શમીની ઈજા અંગે કહ્યું કે, શમી દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન ફિટ થઈ શકે છે. ભારતીય ટીમ લગભગ એક મહિના માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં ટીમ ઈન્ડિયાએ પહેલા ત્રણ મેચની T20 શ્રેણી, પછી 3 મેચની ODI શ્રેણી અને અંતે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. હવે જોવાનું એ રહેશે કે મોહમ્મદ શમી આ પ્રવાસમાં બોલિંગ કરી શકશે કે નહીં.












Click it and Unblock the Notifications
