કોણ છે માના પટેલ? જેઓ ટોક્યો ઓલિમ્પિક માટે થયાં નોમિનેટ
કોણ છે માના પટેલ? જેઓ ટોક્યો ઓલિમ્પિક માટે થયાં નોમિનેટ
ગુજરાતનું ગૌરવ માના પટેલને ટોકિયો ઓલિમ્પિકના યુનિવર્સેલિટી સ્થાન માટે નોમિનેટ કરવામાં આવી છે. જો માના પટેલના નામને યોજકો મંજૂરી આપી દેશે તો ટેનિસ સ્ટાર અંકિત રૈનાની સાથે માના પટેલ ટોકિયો ઓલિમ્પિકમાં ભાગ લેનારી બીજી ગુજરાતી ખેલાડી બનશે.
Recommended Video

નોંધનીય છે કે ઓલિમ્પિકમાં યુનિવર્સેલિટી સ્પોટ અંતર્ગત કેટલીક રમતોમાં પસંદગીના ધોરણે ખેલાડીઓને પ્રવેશ આપવામાં આવતો હોય છે. જે માટે અન્ય ઘણા દેશો પણ પોતાના ખેલાડીઓના નામ નોમિનેટ કરતા હોય છે. કયા ખેલાડીઓને કઈ રમતમાં એન્ટ્રી આપવી તેનો અંતિમ નિર્ણય આયોજકો અને એલિમ્પિકના અધિકારીઓનો હોય છે.

કોણ છે મોના પટેલ?
માના પટેલે અમદાવાદની ઉદગમ સ્કૂલ ફૉર ચિલ્ડ્રનમાંથી વાણિજ્યનો અભ્યાસ કર્યો છે. ગુજરાત વિદ્યાપીઠમાં આવેલ સ્વિમિંગ પૂલમાં તે તરતાં શીખી છે. જ્યાં કમલેશ નાણાવટીએ તેમને સ્વિમિંગનું પ્રશિક્ષણ આપ્યું હતું. હાલમાં મુંબઈના ગ્લેનમાર્ક એક્વા ફાઉન્ડેશનમાં સ્વિમિંગનું પ્રશિક્ષણ આપી રહી છે.

7 વર્ષની ઉંમરેથી જ સ્વિમિંગની શરૂઆત કરી
ઉલ્લેખનીય છે કે માના પટેલ 7 વર્ષની હતી ત્યારથી જ તરવાનું શરૂ કર્યું હતું. જ્યારે તે 13 વર્ષની હતી ત્યારે હૈદરાબાદ ખાતે યોજાયેલ જૂનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમાં માના પટેલે ત્રણ રેકોર્ડ તોડ્યા હતા. આ ઉપરાંત નેશનલ ગેમ્સમાં માના પટેલે 50 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ગોલ્ડ જીત્યો છે.

માના પટેલની સિદ્ધિઓ
- ઓલિમ્પિક ગોલ્ડ ક્વેસ્ટ (OGQ) દ્વારા સાઇન ઇન થનાર પ્રથમ તરણવીર
- માના પટેલે હૈદરાબાદની 40 મી જુનિયર રાષ્ટ્રીય એક્વેટિક્સ ચેમ્પિયનશિપમાં ત્રણ રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યા બાદ એક છાપ બનાવી હતી
- ઓગસ્ટ 2009માં ટોક્યો ખાતે યોજાયેલ એશિયન એજ ગ્રુપ ચેમ્પિયનશિપમાં શિખા ટંડનના રેકોર્ડ (2:26.41s)ને તોડ્યો
- નેશનલ ચેમ્પિયનશીપમાં પાંચ વખત 'ઓવરઓલ બેસ્ટ સ્વિમર' ખિતાબ જીત્યો, જેમાં સિનિયર નેશનલમાં બે વાર સમાવેશ થાય છે
- ત્રણેય બેકસ્ટ્રોક ઇવેન્ટ્સ જીતનાર પ્રથમ ભારતીય તરણવીર
-
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ







Click it and Unblock the Notifications
