Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

શ્રીનિવાસનને ભારતીય ક્રિકેટ બરબાદ કરવા નહીં દઉઃ લલિત મોદી

નવી દિલ્હી, 25 સપ્ટેમ્બરઃ આજીવન પ્રતિબંધ લાગવાની સંભાવનાઓની હોવા છતાં પણ લલિત મોદીએ બીસીસીઆઇના અધ્યક્ષ એન શ્રીનિવસાન વિરુદ્ધ પોતાના પ્રહારો જારી રાખ્યા છે અને કહ્યું છે કે, તે ચુપ નહીં બેસી રહે અને આ વ્યક્તિના હાથે ભારતીય ક્રિકેટને બરબાદ થવા નહીં દે.

દિલ્હી ઉચ્ચ ન્યાયાલયે બીસીસીઆઇને ચેન્નાઇની વિશેષ સામાન્ય સભાની બેઠક બોલાવવા અનુમતિ આપી છે, જેમાં મોદી પર આઇપીએલના પ્રારંભિક ત્રણ સત્ર દરમિયાન કથિત નાણાકિય ગેરરીતિ કરવા માટે આજીવન પ્રતિબંધ લગાવવાનો રસ્તો સાફ થઇ ગયો છે.

lalit-modi
લલિત મોદીએ સ્વિકાર્યું કે, શ્રીનિવાસનના ‘ખોટા કામો' માટે અમુક હદ સુધી તેઓ પણ જવાબદાર છે, પરંતુ સ્પષ્ટ કર્યું કે, તે પોતાની જંગ જારી રાખશે. મોદીએ કહ્યં કે, હાં કેટલીક હદ સુધી હું પણ શ્રીનિવાસનના ખોટા કામો માટે જવાબદાર છું, પરંતુ એનો એ અર્થ નથી કે હું ચુપ બેસી રહીશ અને શ્રીનિવાસનને ભારતીય ક્રિકેટ બરબાદ કરવા દઇશ. તેમણે કહ્યું કે, હા મે ભૂલ કરી છે, પરંતુ ભારતીય ક્રિકેટની સૌથી મોટી બ્રાન્ડને પણ તૈયાર કરી. જો તે ખોટુ કરે છે તો હું મુદ્દો ઉઠાવીશ. મે મારી ભુલોમાંથી શીખ લીધી છે પરંતુ તેઓ તેનાથી બીલકુલ ઉલ્ટા છે.

મોદીએ કહ્યું કે, હું પ્રતિબંધ લાગવાની સંભાવનાથી નિરાશ નથી. હું પહેલાથી નિલંબિત છું, હું મારા નિલંબનને મારા સ્તર પર નિરાકરણ લાવીશ, પરંતુ શ્રીનિવાસનનું બીજી વખત ચૂંટાવુ મારા અને ભારતીય ક્રિકેટ માટે મોટી નિરાશા છે. ભારતીય ક્રિકેટ માટે હું મારા પૂર્વ સાથી સાથે લડવા તૈયાર છું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X