ડોપ ટેસ્ટમાં ફેલ થવા પર આત્મહત્યા કરવા માંગતા હતા નરસિંહ યાદવ
ડોપ ટેસ્ટમાં ફેલ થવાવાળા પહેલવાન નરસિંહ યાદવ વિશે ખબર આવી છે કે છેલ્લા ઘણા દિવસથી બદનામીના કારણે તેમને આત્મહત્યા કરવાનું નક્કી કરી લીધું હતું. આવું કહેવું છે નરસિંહ યાદવના મિત્રોનું, જે નરસિંહ યાદવ સાથે પહેલવાની કરતા હતા.
નરસિંહ યાદવના સાથીઓનું કહેવું છે કે ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ અંદરથી તૂટી ગયા છે. હવે તેઓ રિયો જવાની નહિ પરંતુ સજાની સુનાવણીની રાહ જોઈ રહ્યા છે જે બુધવારે છે.

નરસિંહ યાદવની જેમ જ તેમના સાથીઓને પણ લાગી રહ્યું છે કે તેના વિરુષ ષડયંત્ર કરવામાં આવ્યું છે. બુધવારે રાષ્ટ્રીય ડોપિંગ એજન્સી તેમના વિરુષ સજાનું એલાન કરશે. નરસિંહ યાદવને સ્ટીરોઈડના સેવનનો દોશી માનવામાં આવ્યો છે. હવે રિયો ઓલમ્પિકમાં ભારત તરફ થી 74 કિલો વર્ગમાં કોઈ જ પ્રતિનિધત્વ નહિ કરે.












Click it and Unblock the Notifications
