નાસિક શહેર મહારાષ્ટ્રમાં સ્થિતછે અને દ્રાક્ષની ઉત્પાદન માત્રાના કારણે ભારતની દારૂની રાજધાનીના રૂપમાં પણ જાણીતું છે. આ મુંબઇથી 180 કિ.મી દૂર અને પૂણે નજીક 200 કિ.મીની આસપાસ છે. નાપા ઘાટીના પશ્ચિમી ઘાટ પર સ્થિત છે. નાસિક પૂર્વમાં સત્વહના રાજવંશની રાજધાની હતું. 16મી સદી દરમિયાન, શહેર મુગલ શાસનને આધિન આવ્યું હતુ અને ગુલ્શાનાબાદ કહેવામાં આવતું હતું. ત્યાર બાદ આ પેશવાઓ પાસે હતુ, જે 19મી સદીના અંતમાં અંગ્રેજોથી હારી ગયા હતા. વીર સાવરકર જેવા સ્વાતંત્ર્ય સેનાની નાસિકના છે.
એવું કહેવામાં આવે છે કે, 14 વર્ષના વનવાસ દરમિયાન ભગવાન રામ નાસિક પાસે એક તપોવન નામના સ્થળે રહ્યા હતા. આ સ્થળે ભગવાન લક્ષ્મણે શૂરપંખાનું નાક કાંપી નાખ્યું હતુ અને તેથી આ સ્થળનું નામ નાસિક પડ્યુ, જે એક નાકનું જ એક અનુવાદ છે. કાલિદાસ, વાલ્મિકીએ પણ પોતાની કૃતિઓમાં નાસિકનો ઉલ્લેખ કર્યો છે. 150 ઇ.સ પૂર્વના પ્રસિદ્ધ દાર્શનિક પ્લોતેમીએ પણ નાસિકનો ઉલ્લેખ કર્યો છે. નાસિક વર્તમાનમાં મહારાષ્ટ્રનું સૌથી ઝડપી વિકાસ કરતું શહેર છે. ઇંફ્રાસ્ટ્રક્ચર, શિક્ષા, ઔદ્યોગિક અને અન્ય અનેક પહેલુંઓમાં નાસિકએ ઘણો વિકાસ કર્યો છે.
ત્રિંબકેશ્વર મંદિર નાસિકથી અમુકે કિ.મીના અંતરે છે અને એક પ્રમુખ તીર્થ આકર્ષણ છે. મુક્તિધામ ભારતમાં ચાર જ્યોતિર્લિંગોમાનું એક માનવામાં આવે છે. આ હિન્દુ પવિત્ર પુસ્તક ભગવત ગીતાના અધ્યાયમાં પણ છે, જેમાં અહીંની દીવાલો પરના ચલણનું વિસ્તૃત વર્ણન છે. કાલારામ મંદિર એક એવું મંદિર છે જે કાળા પથ્થરમાંથી બનેલું છે અને પોતાના ભક્તોની વચ્ચે ઘણું લોકપ્રિય છે, તો ચાલો તસવીરો થકી જોઇએ નાસિકને.

ત્રિંબકેશ્વર મંદિર
નાસિકનું પ્રમુખ તીર્થ આકર્ષણ ત્રિંબકેશ્વર

શહેરની તસવીર
નાસિક શહેરની એક સુંદર છબી

સુલા વાઇનયાર્ડ્સ
નાસિકનું સુલા વાઇનયાર્ડ્સ

દૂધસાગર ઝરણું
નાસિકનું દુધસાગર ઝરણું

પાંડવલીની ગુફાઓ
નાસિકમાં આવેલી પાંડવલીની ગુફાઓ

કાલારામ મંદિર
નાસિકમાં આવેલું કાલારામ મંદિર