Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navaratri 2023: દર્શન કરવા જતા ડરે છે ભક્તો, જાણો દુર્ગા મંદિરના રહસ્યો

Navaratri 2023: સમગ્ર દુનિયામાં માને છે કે, ભારત એક ચમત્કારની ભૂમિ છે. ભારત એક આધ્યાત્મ અને સાધનાનો દેશ છે. ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો આવેવા છે, જે અદભૂત અને અતુલ્ય છે. જેમાં માતા દુર્ગાના ઘણા ચમત્કારિક અને રહસ્યમયી મંદિર સામેલ છે.

ઘણા લોકો માને છે કે, આ ભગવાનની કૃપા છે, જ્યારે અન્ય લોકો માટે આ આશ્ચર્યજનક બાબત છે. નવરાત્રિ દરમિયાન લોકો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે દેવી દુર્ગાની પૂજા-અર્ચના કરે છે.

Navaratri 2023

લોકો માને છે કે, માતા ચોક્કસપણે તેમની વાત સાંભળશે, કારણ કે માતા ક્યારેય તેમના ભક્તોને નિરાશ કરતી નથી. જોકે, મધ્યપ્રદેશના દેવાસમાં મા દુર્ગાનું એક મંદિર છે, જેનાથી લોકો ડરે છે. ભક્તો આ મંદિરમાં જતા ડરે છે. એવું નથી કે, લોકોને મા દુર્ગામાં શ્રદ્ધા નથી. લોકો દેવી માતામાં માને છે અને નવરાત્રી દરમિયાન આ મંદિરે આવે છે, પરંતુ બહારથી દર્શન કરીને જતા રહે છે.

એવું કહેવાય છે કે, આ મંદિર શ્રાપિત છે અને સૂર્યાસ્ત પછી કોઈ આ મંદિરની મુલાકાત લેતું નથી. લોકોના મતે સૂર્યાસ્ત બાદ અહીં આવનાર વ્યક્તિ સાથે વિચિત્ર ઘટનાઓ બને છે. લોકોના મતે આ મંદિરમાંથી ડરામણા અવાજો આવે છે.

લોકો કહે છે કે, ક્યારેક સિંહોની ગર્જનાનો અવાજ સંભળાય છે, તો ક્યારેક ઘંટનો અવાજ સંભળાય છે. જેના કારણે લોકો દિલ ગુમાવીને આ મંદિર તરફ જતા ડરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ખોટા ઈરાદા સાથે આવતા લોકો હંમેશા નુકસાન પહોંચાડે છે.

ઘણા લોકો આ મંદિરને તોડી પાડવા માંગતા હતા, પરંતુ તેઓ સફળ ન થયા. અહીં કામ કરતા મજૂરોએ ગુંબજમાંથી આગ નીકળતી જોઈ, ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ મંદિરમાં કોઈ આવતું નથી અને તે નિર્જન રહે છે.

દેવાસના આ મંદિર સાથે ઘણી લોક કથાઓ જોડાયેલી છે. આ મંદિર દેવાસના મહારાજાએ બનાવ્યું હતું, પરંતુ તેના નિર્માણ પછી ઘરમાં અશુભ ઘટનાઓ બનવા લાગી હતી. એક પછી એક વિવાદ શરૂ થયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, રાજાની પુત્રીને અહીંના સેનાપતિ સાથે પ્રેમ સંબંધ હતો.

રાજાને આ ગમ્યું નહીં. તે આ સંબંધની વિરુદ્ધ હતો અને પુત્રીને જેલમાં ધકેલી દીધો હતો. પુત્રી આ અંતર સહન ન કરી શકી અને જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ પામી હતી.

રાજકુમારીના મૃત્યુ બાદ સેનાપતિએ પણ મંદિર પરિસરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ પછી શાહી પૂજારીઓએ રાજાને કહ્યું કે, મંદિર અપવિત્ર થઈ ગયું છે. મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિને અહીંથી હટાવીને બીજે ક્યાંક સ્થાપિત કરવી જોઈએ.

શાહી પૂજારીઓની સલાહ બાદ રાજાએ ઉજ્જૈનના મોટા ગણેશ મંદિરમાં માતાની મૂર્તિને સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરી. ખાલી જગ્યામાં માતાની બીજી મૂર્તિ મૂકવામાં આવી હતી. આ પછી પણ મંદિરમાં બનતી ઘટનાઓ અટકી નથી. હવે આ દાવો કેટલો સાચો છે કે, ખોટો તે વિશે કહી શકાય તેમ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X