Navaratri 2023: દર્શન કરવા જતા ડરે છે ભક્તો, જાણો દુર્ગા મંદિરના રહસ્યો
Navaratri 2023: સમગ્ર દુનિયામાં માને છે કે, ભારત એક ચમત્કારની ભૂમિ છે. ભારત એક આધ્યાત્મ અને સાધનાનો દેશ છે. ભારતમાં ઘણા પ્રાચીન મંદિરો આવેવા છે, જે અદભૂત અને અતુલ્ય છે. જેમાં માતા દુર્ગાના ઘણા ચમત્કારિક અને રહસ્યમયી મંદિર સામેલ છે.
ઘણા લોકો માને છે કે, આ ભગવાનની કૃપા છે, જ્યારે અન્ય લોકો માટે આ આશ્ચર્યજનક બાબત છે. નવરાત્રિ દરમિયાન લોકો સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ સાથે દેવી દુર્ગાની પૂજા-અર્ચના કરે છે.

લોકો માને છે કે, માતા ચોક્કસપણે તેમની વાત સાંભળશે, કારણ કે માતા ક્યારેય તેમના ભક્તોને નિરાશ કરતી નથી. જોકે, મધ્યપ્રદેશના દેવાસમાં મા દુર્ગાનું એક મંદિર છે, જેનાથી લોકો ડરે છે. ભક્તો આ મંદિરમાં જતા ડરે છે. એવું નથી કે, લોકોને મા દુર્ગામાં શ્રદ્ધા નથી. લોકો દેવી માતામાં માને છે અને નવરાત્રી દરમિયાન આ મંદિરે આવે છે, પરંતુ બહારથી દર્શન કરીને જતા રહે છે.
એવું કહેવાય છે કે, આ મંદિર શ્રાપિત છે અને સૂર્યાસ્ત પછી કોઈ આ મંદિરની મુલાકાત લેતું નથી. લોકોના મતે સૂર્યાસ્ત બાદ અહીં આવનાર વ્યક્તિ સાથે વિચિત્ર ઘટનાઓ બને છે. લોકોના મતે આ મંદિરમાંથી ડરામણા અવાજો આવે છે.
લોકો કહે છે કે, ક્યારેક સિંહોની ગર્જનાનો અવાજ સંભળાય છે, તો ક્યારેક ઘંટનો અવાજ સંભળાય છે. જેના કારણે લોકો દિલ ગુમાવીને આ મંદિર તરફ જતા ડરે છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, ખોટા ઈરાદા સાથે આવતા લોકો હંમેશા નુકસાન પહોંચાડે છે.
ઘણા લોકો આ મંદિરને તોડી પાડવા માંગતા હતા, પરંતુ તેઓ સફળ ન થયા. અહીં કામ કરતા મજૂરોએ ગુંબજમાંથી આગ નીકળતી જોઈ, ત્યારબાદ કામ બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ મંદિરમાં કોઈ આવતું નથી અને તે નિર્જન રહે છે.
દેવાસના આ મંદિર સાથે ઘણી લોક કથાઓ જોડાયેલી છે. આ મંદિર દેવાસના મહારાજાએ બનાવ્યું હતું, પરંતુ તેના નિર્માણ પછી ઘરમાં અશુભ ઘટનાઓ બનવા લાગી હતી. એક પછી એક વિવાદ શરૂ થયા હતા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, રાજાની પુત્રીને અહીંના સેનાપતિ સાથે પ્રેમ સંબંધ હતો.
રાજાને આ ગમ્યું નહીં. તે આ સંબંધની વિરુદ્ધ હતો અને પુત્રીને જેલમાં ધકેલી દીધો હતો. પુત્રી આ અંતર સહન ન કરી શકી અને જેલમાં રહસ્યમય રીતે મૃત્યુ પામી હતી.
રાજકુમારીના મૃત્યુ બાદ સેનાપતિએ પણ મંદિર પરિસરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ પછી શાહી પૂજારીઓએ રાજાને કહ્યું કે, મંદિર અપવિત્ર થઈ ગયું છે. મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિને અહીંથી હટાવીને બીજે ક્યાંક સ્થાપિત કરવી જોઈએ.
શાહી પૂજારીઓની સલાહ બાદ રાજાએ ઉજ્જૈનના મોટા ગણેશ મંદિરમાં માતાની મૂર્તિને સંપૂર્ણ સન્માન સાથે સ્થાપિત કરી. ખાલી જગ્યામાં માતાની બીજી મૂર્તિ મૂકવામાં આવી હતી. આ પછી પણ મંદિરમાં બનતી ઘટનાઓ અટકી નથી. હવે આ દાવો કેટલો સાચો છે કે, ખોટો તે વિશે કહી શકાય તેમ નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
