એક રાજસી એકાંતવાસનો અનુભવ કરાવે છે પાલનપુર
રાજા પ્રહલાદન દ્વારા સ્થાપિત અને પરમાર રાજપૂત સામ્રાજ્યનો એક ભાગ, પાલનપુર વર્તમાનમાં બનાસકાંઠા જિલ્લાનું મુખ્યાલય છે. એક સમયે અંગ્રેજોના શાસનકાળમાં લોહાણી અફઘાન અધિન આ ગુજરાતની રાજસી રિયાસત તરીકે જાણીતું હતું. તે સમયે પાલનપુર એજન્સીએ ગુજરાત, રાજસ્થાન બોર્ડ પર કેટલાક નવા રાજ્યોને પોતાની અંદર સંમિલિત કરી લીધા હતા.
આ સ્થળની એક તરફ અરવલ્લી રેન્જ છે અને બીજી તરફ સાબરમતી નદી છે. આ શહેરમાં એક કિલ્લો હતો, જેને સાત દ્વાર હતા, પરંતુ વર્તમાનમાં તે જીર્ણોદ્ધાર ઝંખી રહ્યો છે. શિમલા ગેટ, દિલ્હી ગેટ, મીરા ગેટ અને ગથામણ ગેટ એ સાત ગેટ્સમાના કેટલાક ગેટ છે. ઐતિહાસિક સ્મારક જેમકે કીર્તિસ્તંભ, જોરાવર મહેલ, બલરામ મહેલ પાલનપુરમાં વીતેલા ગૌરવના સંસ્મરણ છે.
આ સ્થળ પર હિન્દુ અને જૈન ધર્મના અનેક મંદિર છે. પલ્લાવિયા પાર્શ્વનાથ મંદિર અથવા મોટુ દેરાસર જેને રાજા પ્રહલાદને બનાવડાવ્યું હતું અને નાનુ દેરાસર, પાલનપુરના મહત્વપૂર્ણ જૈન મંદિર છે. કીર્તિસ્તંભ નજીક પાતાલેશ્વર મહાદેવ મંદિર અને મોટા રામજી મંદિર હિન્દુ ધર્મના મંદિર છે. પાલનપુર નજીક અંબાજી મંદિર, કેદારનાથ મહાદેવ મંદિર અને બલરામ મહાદેવ મંદિર છે. તો ચાલો તસવીરો થકી પાલનપુરને નિહાળીએ.
જેસોર સ્લોથ રીંછ અભ્યારણ્ય
પાલનપુરમાં આવેલું જેસોર સ્લોથ રીંછ અભ્યારણ્ય
જેસોર સ્લોથ રીંછ અભ્યારણ્ય
પાલનપુરમાં આવેલું જેસોર સ્લોથ રીંછ અભ્યારણ્ય
બલરામ પેલેસ
પાલનપુરમાં આવેલું બલરામ પેલેસ
બલરામ પેલેસ
પાલનપુરમાં આવેલું બલરામ પેલેસ
બલરામ પેલેસ
પાલનપુરમાં આવેલું બલરામ પેલેસ
બલરામ પેલેસ
પાલનપુરમાં આવેલું બલરામ પેલેસ