ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા
ગુજરાતમાં કપાસના પાકનું વાવેતર મોટા પાયે થાય છે અને ખેડૂતો માટે કપાસ મુખ્ય રોકડિયા પાક પૈકીનો એક છે. સારા ઉત્પાદન અને આવક માટે કપાસને જીવાત અને રોગથી બચાવવું ખૂબ જરૂરી છે.
રાજ્યના ખેડૂતોના હિત માટે ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં ગુલાબી ઈયળ, લીલી ઈયળ અને ટપકાવાળી ઈયળ જેવી જીવાતોના સંકલિત નિયંત્રણ માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો અને પગલાં આપ્યાં છે.

કપાસના પાકને જીવાતથી બચાવવા શું કરવું?
ફેરોમોન ટ્રેપનો ઉપયોગ: ગુલાબી ઈયળને પકડવા માટે ખેતરમાં પ્રતિ એકર બે ફેરોમોન ટ્રેપ લગાવવી. આ ટ્રેપમાં રહેલા નર ઈયળને આકર્ષિત કરતા લ્યુર સમયાંતરે બદલતા રહેવા. આનાથી ઈયળોની સંખ્યાનો અંદાજ મળે છે અને તે પ્રમાણે આગળના પગલાં લઈ શકાય છે.
જૈવિક અને કુદરતી ઉપચાર
- ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ગોસીપ્લુર ૪ ટકા આરટીયુ ટ્યુબનો ઉપયોગ કરવો. આના ટપકાં છોડ પર નિયમિત અંતરે મૂકવા.
- લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. ૪% લીંબોળીનો મીંજ અને ૫૦ મિલી લીંબોળીનું તેલ અથવા લીમડાયુક્ત દવાનો ઉપયોગ કરી શકાય છે.
- કૃત્રિમ રસાયણોને બદલે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવી. ઈંડાની પરજીવી ભમરી, ટ્રાયકોગ્રામેટોઈડી બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી ઈયળોનો નાશ થાય છે.
- જીવાત ખાનારા પક્ષીઓને આકર્ષવા માટે ખેતરમાં અમુક અંતરે લાકડા કે ડાળીઓ ગોઠવવી, જેથી પક્ષીઓ તેના પર બેસીને જીવાત ખાઈ શકે.
હાથથી ઈયળોનો નાશ કરવો
- કાબરી ઈયળથી નુકસાન પામેલી ડૂંખને હાથથી દબાવી દેવાથી અંદર રહેલી ઈયળો મરી જાય છે.
- લીલી ઈયળના ઈંડા ધરાવતા ટોચના પાન વીણીને નાશ કરવા અને મોટી ઈયળોને હાથથી પકડીને દૂર કરવી.
રાસાયણિક દવાઓનો ઉપયોગ
- જો જીવાતનો ઉપદ્રવ ખૂબ વધી જાય તો જ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ દવાઓનો જ ઉપયોગ કરવો.
- દવાઓના પેકેટ પર લખેલી સૂચનાઓનું પાલન કરવું અને ભલામણ મુજબ જ ડોઝ વાપરવો.
- જ્યારે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ (જેમ કે પરજીવી ભમરી) અપનાવી હોય ત્યારે રાસાયણિક દવાઓનો છંટકાવ ૭ દિવસ પછી કરવો.
ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો
- જો ફૂલોમાં ગુલાબી ઈયળથી ૧૦% થી વધુ નુકસાન જોવા મળે તો ભલામણ કરેલા કીટનાશકોનો છંટકાવ કરવો.
- ગુલાબી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે એનપીવી (HNPV/SNPV) દ્રાવણનો ઉપયોગ કરવો. આ દ્રાવણ સાંજના સમયે છાંટવું.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
