ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે મહત્વપૂર્ણ પગલા સૂચવ્યા
ગુજરાતમાં કપાસના પાકનું વાવેતર મોટા પાયે થાય છે અને ખેડૂતો માટે કપાસ મુખ્ય રોકડિયા પાક પૈકીનો એક છે. સારા ઉત્પાદન અને આવક માટે કપાસને જીવાત અને રોગથી બચાવવું ખૂબ જરૂરી છે.
રાજ્યના ખેડૂતોના હિત માટે ખેતી નિયામક કચેરીએ કપાસના પાકમાં ગુલાબી ઈયળ, લીલી ઈયળ અને ટપકાવાળી ઈયળ જેવી જીવાતોના સંકલિત નિયંત્રણ માટે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો અને પગલાં આપ્યાં છે.

કપાસના પાકને જીવાતથી બચાવવા શું કરવું?
ફેરોમોન ટ્રેપનો ઉપયોગ: ગુલાબી ઈયળને પકડવા માટે ખેતરમાં પ્રતિ એકર બે ફેરોમોન ટ્રેપ લગાવવી. આ ટ્રેપમાં રહેલા નર ઈયળને આકર્ષિત કરતા લ્યુર સમયાંતરે બદલતા રહેવા. આનાથી ઈયળોની સંખ્યાનો અંદાજ મળે છે અને તે પ્રમાણે આગળના પગલાં લઈ શકાય છે.
જૈવિક અને કુદરતી ઉપચાર
- ગુલાબી ઈયળના નિયંત્રણ માટે ગોસીપ્લુર ૪ ટકા આરટીયુ ટ્યુબનો ઉપયોગ કરવો. આના ટપકાં છોડ પર નિયમિત અંતરે મૂકવા.
- લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો. ૪% લીંબોળીનો મીંજ અને ૫૦ મિલી લીંબોળીનું તેલ અથવા લીમડાયુક્ત દવાનો ઉપયોગ કરી શકાય છે.
- કૃત્રિમ રસાયણોને બદલે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ અપનાવવી. ઈંડાની પરજીવી ભમરી, ટ્રાયકોગ્રામેટોઈડી બેક્ટેરિયાનો ઉપયોગ કરવાથી ઈયળોનો નાશ થાય છે.
- જીવાત ખાનારા પક્ષીઓને આકર્ષવા માટે ખેતરમાં અમુક અંતરે લાકડા કે ડાળીઓ ગોઠવવી, જેથી પક્ષીઓ તેના પર બેસીને જીવાત ખાઈ શકે.
હાથથી ઈયળોનો નાશ કરવો
- કાબરી ઈયળથી નુકસાન પામેલી ડૂંખને હાથથી દબાવી દેવાથી અંદર રહેલી ઈયળો મરી જાય છે.
- લીલી ઈયળના ઈંડા ધરાવતા ટોચના પાન વીણીને નાશ કરવા અને મોટી ઈયળોને હાથથી પકડીને દૂર કરવી.
રાસાયણિક દવાઓનો ઉપયોગ
- જો જીવાતનો ઉપદ્રવ ખૂબ વધી જાય તો જ રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરાયેલ દવાઓનો જ ઉપયોગ કરવો.
- દવાઓના પેકેટ પર લખેલી સૂચનાઓનું પાલન કરવું અને ભલામણ મુજબ જ ડોઝ વાપરવો.
- જ્યારે જૈવિક નિયંત્રણ પદ્ધતિઓ (જેમ કે પરજીવી ભમરી) અપનાવી હોય ત્યારે રાસાયણિક દવાઓનો છંટકાવ ૭ દિવસ પછી કરવો.
ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો
- જો ફૂલોમાં ગુલાબી ઈયળથી ૧૦% થી વધુ નુકસાન જોવા મળે તો ભલામણ કરેલા કીટનાશકોનો છંટકાવ કરવો.
- ગુલાબી અને લશ્કરી ઈયળના નિયંત્રણ માટે એનપીવી (HNPV/SNPV) દ્રાવણનો ઉપયોગ કરવો. આ દ્રાવણ સાંજના સમયે છાંટવું.
More From
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
