PM Kisan: પ્રધાનમંત્રી કિસાન યોજનાના રૂ. 2000ના આગામી હપ્તા માટે ફાર્મર રજીસ્ટ્રેશન નોંધણી ફરજિયાત
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારનાં સંયુક્ત પ્રયાસોથી ફાર્મ રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર આઈ.ડી. મળશે. રાજ્યમાં 15 ઓક્ટોબર 2024થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. ભારત સરકારે પીએમ કિસાન યોજનાનાં રૂ. 2000ના આગામી હપ્તા માટે ખેડૂત આઈ. ડી.ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. આગામી તા.15 જુલાઈ 2025 સુધીમાં ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરવા તાકીદ કરવામા આવે છે.

PM કિસાન સમ્માન નિધિ યોજના
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્રારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનઓનો લાભ જિલ્લાના તમામ ખેડુતોને સરળ, પારદર્શક, અને સમયસર પુરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડુતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે. તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, PM કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડુતોને ઝડપથી પહોંચાડવાના માટેનો છે.
બોટાદ જિલ્લામાં 68500 થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી
ઉલ્લેખનીય છે કે આજ દિન સુધીમાં બોટાદ જિલ્લામાં 68,500 થી વધુ ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. જેમાં બરવાળા તાલુકામાં 9670, બોટાદ તાલુકામાં 20330, ગઢડા તાલુકામાં 23990 અને રાણપુર તાલુકામાં 14555 જેટલા ખેડૂતોએ ફાર્મર રજીસ્ટ્રી અંતર્ગત ખેડૂત નોંધણી કરાવી છે. આથી બાકી રહેતાં બરવાળા તાલુકાનાં 1707, બોટાદ તાલુકાનાં 6174, ગઢડા તાલુકાનાં 4696 અને રાણપુર તાલુકાનાં 3250 જે તાલુકાઓના કુલ 15829 જેટલાં PM કિસાન યોજનાનાં લાભાર્થી તમામ ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરીએ વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રીન્યોર(વીસીઈ) તથા કોમન સર્વિસ સેન્ટર (સીએસસી)નો તેમજ ગ્રામસેવકનો સંપર્ક કરી ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકશે.
ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે
હાલમાં જિલ્લામાં કામગીરી સતત ચાલુ છે, અને તમામ ગામોમાં આ કામગીરીની તા.15 જુલાઈ 2025 સુધીમાં ખેડુતોએ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવા ખાસ જણાવવામાં આવે છે. આ માટે જિલ્લા અને તાલુકાના ખેતી વિભાગ દ્રારા તમામ ખેડુતોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડુત નોંધણી) કરાવવા અનુરોધ કરવામા આવે છે. આ ઉપરાંત ખેડૂતો પોતાની જાતે સેલ્ફ રજીસ્ટ્રેશન થકી પણ ખેડૂત નોંધણી કરી શકશે. બોટાદ જીલ્લાના તમામ ખાતેદાર ખેડૂત ભાઈઓ અને બહેનોએ ફાર્મર રજીસ્ટ્રી કરાવી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી બોટાદ દ્રારા અનુરોધ કરવામાં આવે છે.
દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી
બહાર ગામ રહેતાં ખેડુતોએ https://gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈ પણ નજીકનાં સી.એસ.સી. (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડુતોએ આધાર કાર્ડ / જમીનનાં ઉતારાની નકલ -8અ અથવા વિગત તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઈલ અથવા અન્ય મોબાઈલ સાથે રાખવો ખાસ જરૂરી છે અને દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાના રહેતી નથી ફકત વિગતો માટે ઓપરેટરને બતાવવાની રહે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
