Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાત સરકાર ખાતર વિક્રેતાના ખભે ફોડી રહી છે નેનો યુરિયાની બંદૂક, જુઓ શું કહે છે ખેડૂતો અને ખાતર વિક્રેતા

Nano Urea and Nano DAP: હાલ ગુજરાતમાં નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતરનો વિવાદ વકરી રહ્યો છે. જેમાં ગુજરાત સરકાર જણાવે છે કે, નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવું ફરજિયાત નથી. જોકે, ખાતર વિક્રેતા કહે છે કે, અમને ઉપરથી આદેશ છે કે, નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ફરજિયાત પણે આપવું.

જે કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ ખોખોની રમતમાં ખેડૂતને જરૂરિયાત ન હોવા છતા નેનો યુરિયા અને નેનો ડીએપી ખાતર ખરીદવાની ફરજ પડી રહી છે.

ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાએ સી એન પટેલ જાબુડાવાળા નામની ખાતર વિક્રેતાની દુકાનની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમને ખાતર વિક્રેતા સાથે આ અંગે પૂછપરછ કરી હતી.

તેમણે ડીએપી ખાતરની ખરીદી કરી હતી, જેમાં તેમને ફરજિયાતપણે નેનો ડીએપી આપવામાં આવ્યું છે. આ સાથે તેઓ જણાવે છે કે, ત્રણ થેલી પર એક બોટલ ફરિયાતપણે ખરીદવી પડી રહી છે.

હરિચંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, સરકાર નેનો યુરિયા અને નેનો ડીએપી અંગે બે ધારી તલવાર ચલાવી રહી છે, જાહેરમાં અસ્વિકાર કરીને, ખાતર વિક્રેતાઓની મદદથી ખેડૂતો પાસે ફરજિયાતપણે નેનો ડીએપી અને નેનો યુરિયાની ખરીદી કરાવી રહી છે.

Nano Urea

આ અંગે વાત કરતા ખાતર વિક્રેતા જણાવે છે કે, આવું કરવા માટે અમને ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે. ગાડીમાં ઉપરથી જ ખાતરની થેલી સાથે આવે છે. જો ખેડૂતોને જઈતું હોય તો આ રીતે જ મળશે. નહીંતર તેમને ખાતરની થેલી આપવામાં આવશે નહીં.

ઉલ્લેખનીય છે કે, હરિચંદ્રસિંહ જાડેજાએ આ વીડિયોમાં આ અંગેનો પુરાવો રજૂ કરતા બીલ પણ બતાવ્યું છે. એ પરથી એતો સ્પષ્ટ છે કે, સરકાર ખાતર વિક્રેતાના ખભા પર નેનો યુરિયા અને નેનો ડીએપીની બંદૂક ફોડી રહી છે. જેની સીધી અસર ખેડૂતના ખિસ્સા પર થઈ રહી છે.

નેનો યુરિયા અને નેનો ડીએપીની ફરજિયાત ખરીદી અંગે વાત કરતા ખેડૂતો જણાવ્યું હતું કે, અમને ખાતરની ખરીદી પર ફરજિયાતપણે નેનો ડીએપી આપવામાં આવે છે. જે પોષાય તેમ નથી. આ નેનો ખારત કોઈ કામ આવતું નથી. સરકાર અમારી પાસેથી ખોટી રીતે રૂપિયા લૂંટી રહી છે.

આ અંગે ખેડૂત નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ટીવી ડિબેટોમાં અને જાહેરમાં ઘણીવાર કહી ચુક્યા છે કે, નેનો યુરિયા, નેનો સલ્ફર અને નેનો ડીએપી ખાતર ફરજિયાત નથી.

કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, હવે સવાલ એ થાય છે કે, જો ફરજિયાત ન હોય તો ત્રણ બેગ પર ફરજિયાતપણે એક બોટલ શા માટે આપવામાં આવે છે.

પાલ આંબલિયાએ આગળ સવાલ કરતા જણાવ્યું હતું કે, જો ફરજિયાત ન હોય તો છેલ્લા બે વર્ષથી ખાતર વિક્રેતાઓ ખેડૂતોને લૂંટી રહ્યા છે, તો સરકારે તેમની સામે કેમ કોઈ પગલા લીધા નથી? ભારતીય જનતા પાર્ટીનું આ સફેદ જૂઠ્ઠાણું આજે ખુલ્લુ પડી ગયું છે.

ધ્રોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરિચંદ્રસિંહ જાડેજાએ બનાવેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ખાતર વિક્રેતા સ્પષ્ટ જણાવે છે કે, આવું કરવા માટેનો અમને ઉપરથી આદેશ છે. આ સાથે ખાતર વિક્રેતા વીડિયોમાં બિલ સાથે કહે છે કે, અમને ફરજીયાત નેનો આપવાનો ઉપરથી આદેશ આપવામાં આવ્યો છે.

પાલ આંબલિયાએ જણાવ્યું હતું કે, જો ગુજરાત સરકારે નેનો ખાતરનો પ્રચાર પ્રસાર કરવો હોય, તો ત્રણ બેગ સાથે એક બોટલ ફ્રીમાં આપવી જોઈએ. આ પ્રચાર પ્રસાર ખેડૂતોના પૈસાથી અને તેમની સાથે જબરજસ્તી કરીને કરવામાં આવે છે.

ખેડૂત નેતાએ સરકાર પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર જેમ ખાતર સાથે નેનો ફરજિયાત આપે છે, એમ અમારી મગફળી સાથે ભુકોને ડાંઠા પણ ફરજિયાત લઈ લેવા જોઈએ.

ઉલ્લેખનીય છે કે, IFFCO એ 2021 માં નેનો યુરિયા લોન્ચ કર્યું હતું, જે તેના પ્રકારનું પ્રથમ, સ્વદેશી રીતે વિકસિત ઉત્પાદન છે. તેને એક ખાતર તરીકે પ્રમોટ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણીય પ્રદૂષણ અને ઇનપુટ ખર્ચને ઘટાડીને ઉત્પાદકતામાં વધારો કરીને ભારત અને સમગ્ર વિશ્વમાં ખેતીમાં મોટું પરિવર્તન લાવશે.

જોકે, નેનો યુરિયા સસ્તું હોવા છતાં ખેડૂતો તેને ખરીદતા નથી. લોકસભામાં રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા પૂરા પાડવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, આ નાણાકીય વર્ષના પ્રથમ આઠ મહિનામાં ભારતમાં નેનો યુરિયાની માત્ર 138.77 લાખ બોટલો વેચાઈ છે, જે 2022-23ના 12 મહિનામાં વેચાઈ હતી તેના અડધા કરતાં પણ ઓછી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X