Teka Na bhave kharidi : ૧ નવેમ્બરથી બાજરી સહિતના ખરીફ પાકોની ખરીદી કરાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન
Teka Na bhave kharidi : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી તેમના મુખ્ય ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે.

સરકારે આ વર્ષે વિવિધ કૃષિ પાકો માટે MSP જાહેર કર્યા છે. જેમાં ડાંગર-કોમન માટે ૨,૩૬૯ પ્રતિ ક્વિન્ટલ અને ગ્રેડ-એ ડાંગર માટે ૨,૩૮૯ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરાયો છે.
આ ઉપરાંત, મકાઈ માટે ૨,૪૦૦, બાજરી માટે ૨,૭૭૫, જુવાર-હાઈબ્રીડ માટે ૩,૬૯૯, જુવાર-માલદંડી માટે ૩,૭૪૯ અને રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે.
ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત, ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ૩૦૦/-નું બોનસ પણ ચૂકવવામાં આવશે.
લઘુતમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. આ નોંધણીની પ્રક્રિયા આવતીકાલ ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી શરૂ થઈને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલશે.
ખેડૂતો સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે અથવા તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે જઈને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. કૃષિ પાકોની વાસ્તવિક ખરીદી ૧ નવેમ્બર ૨૦૨૫ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.
નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ કેટલાક મહત્ત્વના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ અને ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક) મુખ્ય છે. જો ગામ નમૂના ૧૨માં પાકની વાવણીની નોંધ ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો પણ જરૂરી રહેશે.
નિગમ દ્વારા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે નોંધણી માટે તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય રીતે અપલોડ થાય તેની કાળજી લેવી.
દસ્તાવેજોની ચકાસણીમાં જો કોઈ ખોટા કે અયોગ્ય ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS દ્વારા કરવામાં આવશે, અને ખરીદીના સમયે પણ ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન ફરજિયાત રહેશે.
વધુ માહિતી અને સહાયતા માટે ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
