Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Teka Na bhave kharidi : ૧ નવેમ્બરથી બાજરી સહિતના ખરીફ પાકોની ખરીદી કરાશે, આવતીકાલથી રજિસ્ટ્રેશન

Teka Na bhave kharidi : ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતો પાસેથી તેમના મુખ્ય ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે (MSP) ખરીદી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬માં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે.

Teka Na bhave kharidi

સરકારે આ વર્ષે વિવિધ કૃષિ પાકો માટે MSP જાહેર કર્યા છે. જેમાં ડાંગર-કોમન માટે ૨,૩૬૯ પ્રતિ ક્વિન્ટલ અને ગ્રેડ-એ ડાંગર માટે ૨,૩૮૯ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી કરાયો છે.

આ ઉપરાંત, મકાઈ માટે ૨,૪૦૦, બાજરી માટે ૨,૭૭૫, જુવાર-હાઈબ્રીડ માટે ૩,૬૯૯, જુવાર-માલદંડી માટે ૩,૭૪૯ અને રાગી માટે રૂ. ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલનો ભાવ નિર્ધારિત કરવામાં આવ્યો છે.

ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે. બાજરી, જુવાર અને રાગીના ટેકાના ભાવ ઉપરાંત, ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ૩૦૦/-નું બોનસ પણ ચૂકવવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે પોતાના પાકનું વેચાણ કરવા ઇચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. આ નોંધણીની પ્રક્રિયા આવતીકાલ ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી શરૂ થઈને ૩૧ ઓક્ટોબર ૨૦૨૫ સુધી ચાલશે.

ખેડૂતો સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે અથવા તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે જઈને ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. કૃષિ પાકોની વાસ્તવિક ખરીદી ૧ નવેમ્બર ૨૦૨૫ થી ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન કરવામાં આવશે.

નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ કેટલાક મહત્ત્વના દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. જેમાં આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો ૭, ૧૨, ૮-અની નકલ અને ખેડૂતના નામના બેંક ખાતાની વિગત (પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક) મુખ્ય છે. જો ગામ નમૂના ૧૨માં પાકની વાવણીની નોંધ ન થઈ હોય તો તલાટીના સહી-સિક્કાવાળો વાવણીનો દાખલો પણ જરૂરી રહેશે.

નિગમ દ્વારા ખેડૂતોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે કે નોંધણી માટે તમામ દસ્તાવેજો સ્પષ્ટ અને સુવાચ્ય રીતે અપલોડ થાય તેની કાળજી લેવી.

દસ્તાવેજોની ચકાસણીમાં જો કોઈ ખોટા કે અયોગ્ય ડોક્યુમેન્ટ્સ ધ્યાનમાં આવશે તો તે ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે. નોંધણી કરાવેલ ખેડૂતોને ખરીદી અંગેની જાણ SMS દ્વારા કરવામાં આવશે, અને ખરીદીના સમયે પણ ખેડૂત ખાતેદારનું બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન ફરજિયાત રહેશે.

વધુ માહિતી અને સહાયતા માટે ખેડૂત મિત્રો હેલ્પલાઇન નંબર ૮૫૧૧૧ ૭૧૭૧૮ અને ૮૫૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X