ગુજરાત સરકાર બદલવા જઈ રહી છે ખેતીની જમીન સાથે જોડાયેલા આ નિયમો
ગુજરાત સરકાર ખેતીની જમીનના વેચાણ અને વારસાઈ નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે. ટુકડા ધારામાં ફેરફાર કરીને હવે 10 ગુંઠા કે તેથી વધુના ટુકડાના વેચાણ વ્યવહારને દંડ ભરી નિયમિત કરવાનો પ્રસ્તાવ મુકાયો છે. મહેસૂલ વિભાગે 7મી ફેબ્રુઆરી સુધીમાં ખેડૂતો અને નાગરિકો પાસેથી આ બાબતે સૂચનો મંગાવ્યા છે.
રાજ્યમાં ઝડપી શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને બુલેટ ટ્રેન, હાઈવે જેવા મોટા પ્રોજેક્ટ્સને કારણે મોટા પાયે જમીન સંપાદન થયું છે, જેના લીધે ખેડૂતો પાસે જમીનના નાના ટુકડાઓ બચ્યા છે.

જૂના 1947ના કાયદા મુજબ, બિન-પિયત જમીનમાં 80.94 ગુંઠાથી ઓછી અને પિયત જમીનમાં 20.24 ગુંઠાથી ઓછી જમીન ટુકડો ગણાતી હતી. આ મર્યાદા નાની જમીન વેચવામાં કે વારસાઈ કરવામાં ખેડૂતો માટે ખુબ જ મુશ્કેલકારી હતી.
મહેસૂલ વિભાગના મુસદ્દા મુજબ, કાયદાની કલમ-9(3)માં સુધારો કરી નવી જોગવાઈઓ ઉમેરાશે. તમામ જમીનો માટે લઘુત્તમ ક્ષેત્રફળની મર્યાદા ઘટાડીને 10 ગુંઠા કરવાની દરખાસ્ત છે. 10 ગુંઠા કે તેથી વધુના ટુકડાના માલિકો રાજ્ય સરકાર નિર્ધારિત દંડ ભરી વેચાણ વ્યવહારો નિયમિત કરાવી શકશે.
કુદરતી કારણો કે સરકારી સંપાદનને લીધે જમીન 10 ગુંઠાથી ઓછી થઈ હોય તો તેવા કિસ્સામાં વિશેષ છૂટછાટ આપવાનું સૂચવાયું છે. ઉપરાંત, ટુકડાની જમીન વેચતી વખતે પાડોશી ખેડૂતનો પ્રથમ હક હવે રદ થવાની શક્યતા છે, જેથી ખેડૂત પોતાની મરજી મુજબ જમીન વેચી શકશે.
આ કાયદાકીય ફેરફારથી જમીન મહેસૂલના હજારો વિવાદોનો અંત આવશે. 7/12ના ઉતારામાં ટુકડો કે કલમ-7 મુજબ પ્રતિબંધિત જેવી નોંધો બંધ થશે. નાના ટુકડાને કારણે પરિવારમાં ભાગલા કે વારસાઈની તકલીફો દૂર થશે. દંડ ભરીને અગાઉના દસ્તાવેજો માન્ય બનશે અને શહેરી વિસ્તાર નજીકની નાની જમીનોનો વિકાસ સરળ બનશે.
-
હોળી પ્રગટાવવા દરમિયાન બબાલ બાદ રાજકોટમાં 3 લોકોની અટકાયત -
India Flights Resume : મધ્ય પૂર્વથી ભારત માટે ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ, ઇન્ડિગો અને અમીરાતે રાહત ફ્લાઇટ્સ શરૂ કરી -
કીર્તિ પટેલ-ઈન્દ્રભારતી બાપુ વચ્ચે સમાધાન, મૃગી કુંડમાં સ્નાન કરતા શરૂ થઈ હતી બબાલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
ખેડૂતો માટે આવનારૂ વર્ષ કેવુ રહેશે? હોળીની જ્વાળાઓ શું સંકેત આપે છે? -
ભારત-ઈંગ્લેન્ડ સેમિફાઇનલ ટાઇ થઈ તો? જાણો ફાઇનલ કઈ ટીમ રમશે? -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
માર્ચ મહિનો કેટલો ગરમ રહેશે? ગરમીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી -
મહેન્દ્ર સિંહ ધોનીથી થઈ ગઈ ભૂલ? પોલીસે ફટકાર્યો દંડ, જાણો શું છે સમગ્ર મામલો -
જેદ્દાહથી 200 ભારતીયોને લઈને ઇન્ડિગોની સ્પેશિયલ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પહોંચી -
IND vs ENG: ઇંગ્લેન્ડ સામેની સેમિફાઈનલમાં નહીં રમે રિંકુ સિંહ, મોટું કારણ આવ્યું સામે








Click it and Unblock the Notifications
