Kheti Samachar : ખાતર માટે દર-દર ભટકતા ખેડૂતો, ભાવ વધારા બાદ પણ સપ્લાય નહીં
કેન્દ્રની સત્તા સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદી સરકારની ખેડૂતો માટેની નીતિઓ પર હંમેશા સવાલો થતા રહ્યા છે. હવે વાવેતરની સિઝનમાં ખેડૂતોને ખાતર ન મળતા ખેડૂતોની સ્થિતી કફોડી બની છે.
શિયાળુ વાવેતર માટે ખેડૂતો તૈયાર છે પરંતુ વાવેતરમાં વપરાતા ડીએપી અને એનપીકે જેવા જરૂરી ખાતરોની મોટી અછત છે. આ અછતને કારણે જમીન અને બિયારણ તૈયાર હોવા છત્તા ખેડૂતો ખાતરના વાંકે બેસી રહ્યા છે.

આ મુદ્દે વાત કરતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયા વિસ્તારના ખેડૂત દેવસીભાઈ જણાવે છે કે, DAP ખાતર વિના પાકને પુરતું પોષણ કઈ રીતે આપવું? દેશના નાગરિકોને આ ભાજપ સરકારે હંમેશા લાઈનમાં જ ઉભા રાખ્યા છે.
ખેડૂતોની વ્યથા ઠાલવતા દેવસીભાઈએ કહ્યું કે, પહેલાં પૈસા ઉપાડવા એટીએમની લાઈનમાં ઉભા રાખ્યા, પછી 2000ની નોટ બદલવા લાઈનમાં ઉભા રાખ્યા અને હવે સરકાર ખેડૂતોને DAP ખાતર લેવા માટે પણ લાઈનમાં ઉભા રહેવા મજબૂર કરી રહી છે. સરકારે ખેડૂતોની જરૂરિયાત પૂરી થાય તે બાબતે ધ્યાન આપવું જોઈએ.
એક તરફ વર્ષોની મહેનતથી દેશના ખેડૂતોએ દેશને અનાજમાં સરપ્લસ બનાવ્યુ છે તો બીજી તરફ ખેડૂતો વિરોધી નીતિઓ માટે બીજેપીની ગુજારત અને કેન્દ્ર સરકાર માત્ર ડબલ એન્જીનના બણગા ફુંકે છે. સરકાર ઉદ્યોગપતિઓને મદદ કરવા માટે ખાતરોના ભાવ વધારી રહી છે પરંતુ ખેડૂતોને જોઈએ ત્યારે ખાતર નથી મળી રહ્યું.

હળવદ વિસ્તારના અન્ય એક ખેડૂત કિશોરભાઈ સાથે વાત કરતા તેમણે જણાવ્યુ કે, અમારૂ આયોજન ઠંડીની શરૂઆત સાથે જ જીરૂ અને ઘઉના આગોતરા વાવેતરનું હતું. આ માટે ખેતી અને બિયારણની તમામ તૈયારીઓ કરી લીધી પરંતુ ખાતર ન મળવાને કારણે વાવેતર થઈ શક્યુ નહીં. હવે માવઠુ થતા આગોતરૂ વાવેતર મોટુ થાય તેવી સ્થિતી સર્જાઈ છે. હજુ પણ ખાતર ક્યારે મળે તેનું કઈ નક્કી નથી.
હળવદ વિસ્તારના અન્ય એક ખેડૂત પ્રવિણભાઈ જણાવે છે કે, છેલ્લા કેટલાક સમયથી ખેડૂતની સ્થિતી ભીખારીઓ જેવી થઈ ગઇ છે. દેશ માટે રાત-દિવસ એક કરતા ખેડૂતો ખેતરમાં મહેનત કરે કે કેન્દ્રની મોદી સરકારની નબળી નીતિઓનો ભોગ બનીને લાઈનમાં ઉભા રહે? આ સરકારની નીતિઓને કારણે ખેડૂતોને લાઈનમાં ઉભા રહેવાના દિવસો આવ્યા છે.
સમસ્યા શું છે એ જાણવા માટે દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં ખાતર વિતરણનું કામ કરતા વેપારીનો સંપર્ક કર્યો તો તેમણે સરકારની ઘણી પોલ ખુલ્લી પાડી દીધી.
વેપારી ભાયાલાલભાઈ બેલાએ જણાવ્યુ કે, વેપારીઓ પાસે પૂરતા પ્રમાણમાં ડીએપી કે કે એનપીકે ખાતર જ ઉપલબ્ધ નથી. આ સમસ્યા હવે કાયમી થઇ ગઇ છે.
તેમણે કહ્યું કે, ડીએપી દેશમાં સૌથી વધુ વપરાતું હોવાના કારણે અછત ઉભી થાય તે સ્વાભાવિક છે, પરંતુ ખપત વધુ હોય તો તેની આપૂર્તિ કરવા માટે ઉત્પાદન વધારવું પણ જરૂરી છે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે છેલ્લા કેટલાક વર્ષોથી સતત ખેડૂતો ખાતરના વાંકે રિબાઈ રહ્યા છે તો પણ કેન્દ્ર અને ગુજરાતની બીજેપી સરકારની નીતિઓમાં કોઈ ફેરફાર થયા નથી. હવે તો સરકાર એવુ માનીને ચાલી રહી હોય તેમ લાગે છે કે, આ તો રોજની સમસ્યા છે. આમાં શું ધ્યાન આપવાનું?

આ મુદ્દે વાત કરતા હળવદ તાલુકાના ખેડૂત આગેવાન ચંદુભાઈ જણાવે છેે કે, નબળી નીતિઓને કારણે મોટા માથાઓ અછતમાં ખેડૂતોના ભાગનું ખાતર લઈ જાય છે અને છેવાડાના ખેડૂતોને ભોગ બનવાનો વારો આવે છે. પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતી સર્જાય છે.
જણાવી દઈએ કે, ગુજરાત સહિત ભારતમાં વાવેતરમાં ખાતર અને એનપીકે મુખ્ય ખાતર છે. સમયે ખાતર ન મળવાને કારણે ખેડૂતોને વાવેતરમાં મોડુ થાય છે અને તેનાથી ઉત્પાદન પર મોટી અસર થાય છે. આવા ખેડૂતોને પુરા ખર્ચા બાદ પણ વળતર ન મળતા દેશમાં ખેડૂતોની આત્મહત્યાના કિસ્સા વધે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
