Krushi mahotsav : ગુજરામમાં આજથી બે દિવસ રવિ કૃષિ મહોત્સવ ઉજવાશે
Krushi mahotsav : ગુજરાતભરમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહ'ની ઉજવણીના ભાગરૂપે રાજ્યના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
કૃષિ ક્ષેત્રને આધુનિક ટેકનોલોજી અને નૂતન પદ્ધતિઓથી સજ્જ કરવાના ઉદ્દેશ્ય સાથે આગામી 14 અને 15 ઓક્ટોબર 2025 ના રોજ રાજ્યભરમાં રવિ કૃષિ મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં 14 ઓક્ટોબરના દિવસને ખાસ કૃષિ વિકાસ દિન તરીકે સમર્પિત કરવામાં આવ્યો છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરાયું છે.
આ કૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા પંચમહાલ-ગોધરાના છબનપુર ગામ ખાતેથી કરવામાં આવશે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, વિકાસ સપ્તાહ અંતર્ગત આ રવિ કૃષિ મહોત્સવ-2025 રાજ્યમાં જિલ્લા અને તાલુકા કક્ષાના મળીને કુલ 261 સ્થળો ખાતે યોજાશે.
આ બે દિવસીય મહોત્સવમાં ગુજરાતના આશરે 3 લાખથી વધુ ખેડૂતો ભાગ લે તેવી સંભાવના છે. વિવિધ સ્થળોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ હાજર રહીને ખેડૂતોને પ્રોત્સાહિત કરશે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી











Click it and Unblock the Notifications
