Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નરેન્દ્ર મોદી અંગે વિચારવાનો સમય પાકી ગયો છે

ભારતની કમનસીબી કહો કે વિડંબના પણ અર્થતંત્રના નિષ્ણાતો ગણાતી ત્રણ ત્રણ વ્યક્તિઓ ડૉ મનમોહન સિંહ, ડૉ મોન્ટેક સિંહ અહલુવાલિયા અને પી ચિદ્મ્બરમને દેશનું સુકાન સંભાળવા માટે 10 વર્ષ જેટલો લાંબો સમય મળ્યો હોવા છતાં દેશ વર્તમાન સમયમાં ઊંચા ફુગાવા, બેરોજગારી અને રૂપિયાના અવમૂલ્યન જેવી ગંભીર આર્થિક સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે. દેશની આર્થિક પડતીની સ્થિતિ યોગ્ય નેતૃત્વના અભાવ, સત્તાધીશોના હથિયાર હેઠે મૂકી દેવા, દિશા વિહોણા નિર્ણયો લેવાની ભૂલ અને જવાબદારીની શૂન્યતા તથા સાર્વભૌમત્વના સિદ્ધાંતોની સતત અવગણના જેવી બાબતોને પરિણામે સ્વાભાવિક છે.

વર્તમાન નેતૃત્વ દેશને વિકાસની રાહ પર આગળ લઇ જવાને બદલે 10 વર્ષ પાછળ લઇ જઇ રહ્યું છે. આજથી 10 વર્ષ પહેલા ભારત સુપરપાવરનો દરજ્જો મેળવવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો હતો. દેશમાંથી જાણે પ્રભાવશાળી, વિશ્વાસપાત્ર નેતૃત્વ ગાયબ થઇ ગયું છે.

પ્રગતિ અને પ્રદર્શન

પ્રગતિ અને પ્રદર્શન

કોંગ્રેસની વાતોને બાજુ પર મૂકીને જોવામાં આવે તો નરેન્દ્ર મોદીની ખ્યાતિ અને લોકપ્રિયતાનું કારણ ગુજરાતમાં તેમનું પ્રદર્શન છે. તેમના શાસનમાં ગુજરાતે કરેલી પ્રગતિની વાત મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે. ન્યુજ મેગેઝિન ઇકોનોમિસ્ટ લખે છે કે "ગુજરાતમાં એક સાથે પ્રગતિ અને વિકાસના અનેક કાર્યો થઇ રહ્યા છે તેવું ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે." ભારતની કુલ વસતીનો 5 ટકા હિસ્સો ધરાવતા ગુજરાતનો ઓદ્યોગિક આઉટપુટમાં 16 ટકા હિસ્સો છે. જ્યારે નિકાસમાં તે 22 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વિકાસનો દર બમણો થઇ ગયો છે. ભારતમાં સરેરાશ કૃષિ વિકાસ દર 3 ટકાની આસપાસ ઝોલા ખાય છે ત્યારે ગુજરાતમાં કૃષિ વિકાસ દર 10 ટકાને પાર કરી ગયો છે. નરેન્દ્ર મોદીએ પોતાના શાસનમાં ગુજરાતમાં ઇન્પ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં કોઇ કસર છોડી નથી. ગુજરાતમાં વીજળીની સતત ઉપલબ્ધતાએ ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડ્યું છે

સ્વચ્છ છબી

સ્વચ્છ છબી

ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીની છબી પર એક ડાઘો જોવા નહીં મળે. આ કારણ છે કે નરેન્દ્ર મોદી દરેક મંચ પર સ્પષ્ટ શબ્દોમાં સાચી વાત કહેવાની હિંમત્ત દાખવી શકે છે. તેમના દાવાઓને કોઇ પડકારી શકતું નથી. વિકીલિક્સ દ્વારા કરવામાં કરવામાં આવેલા ખુલાસાઓમાં ભારતના મોટા ભાગના નેતાઓની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આવા 100થી વધારે પ્રયાસ નરેન્દ્ર મોદીની છબીને ખરડાવવા માટે કરવામાં આવ્યા છે.

આર્થિક કુનેહ

આર્થિક કુનેહ

સારા રાજનેતાઓ સારી રીતે અર્થતંત્ર ચલાવી શકે એ જરૂરી નથી. જ્યારે સારું અર્થતંત્ર ચલાવી શકનારમાં સારી રીતે રાજકારણ ચલાવી શકાવની ક્ષમતા હોય એ પણ જરૂરી નથી. આ કારણે જ એક રાજકીય પાર્ટી સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે. આર્થિક મંદીને પગલે અનેકવાર રાજકીય ઇચ્છાશક્તિ સમાપ્ત થઇ જતી હોય છે. રાજકારણમાં આવનારા લોકોમાં રાજસ્વની ચિંતા હોય તેવી વ્યક્તિઓ ખૂબ ઓછી જોવા મળે છે. નરેન્દ્ર મોદી એવા રાજનેતા છે જેમની પાસે દેશની આર્થિક બાબતો અને સારી સૂઝ અને આર્થિક સ્થિતિને સુધારવાની કુશાગ્ર બુદ્ધિ છે.

જાહેર લોકપ્રિયતા

જાહેર લોકપ્રિયતા

એક તરફ નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓની કમી નથી. તો બીજી તરફ તેમને ચાહનારાઓની સંખ્યા દિવસ રાત વધી રહી છે. તેમના એક અવાજથી લોકો તેમની તરફ ખેંચાઇ આવે છે. હૈદરાબાદમાં યોજાયેલી રેલીની વાત કરીએ તો કોંગ્રેસ તેલંગાણા મુદ્દે રાજકારણ કરવામાં વ્યસ્ત હતી અને જેના કારણે તેલંગાણા અને સીમાંધ્રના લોકો એક બીજાને મારવા તૈયાર હતા. નરેન્દ્ર મોદીની અપીલથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

દેશભક્તિનો રંગ

દેશભક્તિનો રંગ

વર્તમાન સમયમાં ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે. ભારતને તેના પાડોશી રાજ્યો તરફથી સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં દેશને એવા રાજનેતાની જરૂર છે જે દેશમ માટે કડક રીતે નિર્ણય લઇ શકે. રાજકીય આટાપાટામાંથી બહાર નીકળીને દેશના હિતમાં વાત કરી શકે. આવા સમયે દેશને પરફેક્ટ લીડર તરીકે એક માત્ર નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે.

સમયની માંગને ઓળખો

સમયની માંગને ઓળખો

દેશની સામે સમસ્યાઓ અને પ્રશ્નોનો ખડકલો છે. રાષ્ટ્રની સુરક્ષા, વિદેશ નીતિ, વર્તમાન સરકારનું ઘટતું કદ, ચૂંટણી પરિવર્તન, ભારતના કાયદાઓમાં સુધારા વગેરે જેવા મુદ્દાઓ છે ત્યારે સમય આવી ગયો છે તે આ તમામ મુદ્દે દીર્ઘદ્રષ્ટિથી નિર્ણય લઇ શકે તેવા નેતાઓની પસંદગી કરવા માટેનો સમય આવી ચૂક્યો છે. સમયની માંગને જનતાએ પારખવી જોઇએ.

આવી સ્થિતિમાં દેશમાં એક નવું કિરણ જોવા મળ્યું છે. એક એવું નેતૃત્વ જોવા મળી રહ્યું છે જે દેશને પ્રોત્સાહિત કરી શકે. વિકાસની વિવિધ તકોને ઉપલબ્ધ કરાવી શકે, સમસ્યાઓના સામનો કરી શકે. દેશમાં આશાની નવી લહેર પશ્ચિમ ભારતમાંથી નરેન્દ્ર મોદીના નામે લહેરાઇ રહી છે. નરેન્દ્ર મોદી દેશમાં એક સશક્ત નેતૃત્વ બનીને ઉભર્યા છે તેનું કારણ એ છે કે તેમને વાસ્તવિક જીવનસ્થિતિનો ખ્યાલ છે, તેઓ દેશ સેવા કરવામાં માને છે, તેમણે પાયાના સ્તરે કામ કરવામાં અનેક વર્ષો વીતાવ્યા છે અને તેમને વહીવટ અને શાસનમાં અસરકારક નેતૃત્વ અને માર્ગદર્શનનો વ્યાપક અનુભવ છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની દશા અને દિશા કેવી રીતે બદલાઇ શકે તે આવો જાણીએ...

પ્રગતિ અને પ્રદર્શન
કોંગ્રેસની વાતોને બાજુ પર મૂકીને જોવામાં આવે તો નરેન્દ્ર મોદીની ખ્યાતિ અને લોકપ્રિયતાનું કારણ ગુજરાતમાં તેમનું પ્રદર્શન છે. તેમના શાસનમાં ગુજરાતે કરેલી પ્રગતિની વાત મોટા મોટા અર્થશાસ્ત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે. ન્યુજ મેગેઝિન ઇકોનોમિસ્ટ લખે છે કે "ગુજરાતમાં એક સાથે પ્રગતિ અને વિકાસના અનેક કાર્યો થઇ રહ્યા છે તેવું ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે." ભારતની કુલ વસતીનો 5 ટકા હિસ્સો ધરાવતા ગુજરાતનો ઓદ્યોગિક આઉટપુટમાં 16 ટકા હિસ્સો છે. જ્યારે નિકાસમાં તે 22 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં વિકાસનો દર બમણો થઇ ગયો છે. ભારતમાં સરેરાશ કૃષિ વિકાસ દર 3 ટકાની આસપાસ ઝોલા ખાય છે ત્યારે ગુજરાતમાં કૃષિ વિકાસ દર 10 ટકાને પાર કરી ગયો છે. નરેન્દ્ર મોદીએ પોતાના શાસનમાં ગુજરાતમાં ઇન્પ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવામાં કોઇ કસર છોડી નથી. ગુજરાતમાં વીજળીની સતત ઉપલબ્ધતાએ ઔદ્યોગિક વિકાસને બળ પૂરું પાડ્યું છે.

સ્વચ્છ છબી
ભ્રષ્ટાચારની વાત આવે ત્યારે વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદીની છબી પર એક ડાઘો જોવા નહીં મળે. આ કારણ છે કે નરેન્દ્ર મોદી દરેક મંચ પર સ્પષ્ટ શબ્દોમાં સાચી વાત કહેવાની હિંમત્ત દાખવી શકે છે. તેમના દાવાઓને કોઇ પડકારી શકતું નથી. વિકીલિક્સ દ્વારા કરવામાં કરવામાં આવેલા ખુલાસાઓમાં ભારતના મોટા ભાગના નેતાઓની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આવા 100થી વધારે પ્રયાસ નરેન્દ્ર મોદીની છબીને ખરડાવવા માટે કરવામાં આવ્યા છે.

આર્થિક કુનેહ
સારા રાજનેતાઓ સારી રીતે અર્થતંત્ર ચલાવી શકે એ જરૂરી નથી. જ્યારે સારું અર્થતંત્ર ચલાવી શકનારમાં સારી રીતે રાજકારણ ચલાવી શકાવની ક્ષમતા હોય એ પણ જરૂરી નથી. આ કારણે જ એક રાજકીય પાર્ટી સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કરે છે. આર્થિક મંદીને પગલે અનેકવાર રાજકીય ઇચ્છાશક્તિ સમાપ્ત થઇ જતી હોય છે. રાજકારણમાં આવનારા લોકોમાં રાજસ્વની ચિંતા હોય તેવી વ્યક્તિઓ ખૂબ ઓછી જોવા મળે છે. નરેન્દ્ર મોદી એવા રાજનેતા છે જેમની પાસે દેશની આર્થિક બાબતો અને સારી સૂઝ અને આર્થિક સ્થિતિને સુધારવાની કુશાગ્ર બુદ્ધિ છે.

જાહેર લોકપ્રિયતા
એક તરફ નરેન્દ્ર મોદીની ટીકા કરનારાઓની કમી નથી. તો બીજી તરફ તેમને ચાહનારાઓની સંખ્યા દિવસ રાત વધી રહી છે. તેમના એક અવાજથી લોકો તેમની તરફ ખેંચાઇ આવે છે. હૈદરાબાદમાં યોજાયેલી રેલીની વાત કરીએ તો કોંગ્રેસ તેલંગાણા મુદ્દે રાજકારણ કરવામાં વ્યસ્ત હતી અને જેના કારણે તેલંગાણા અને સીમાંધ્રના લોકો એક બીજાને મારવા તૈયાર હતા. નરેન્દ્ર મોદીની અપીલથી પરિસ્થિતિ કાબૂમાં આવી હતી.

દેશભક્તિનો રંગ
વર્તમાન સમયમાં ભારતની સરહદ પર તણાવની સ્થિતિ છે. ભારતને તેના પાડોશી રાજ્યો તરફથી સતત પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં દેશને એવા રાજનેતાની જરૂર છે જે દેશમ માટે કડક રીતે નિર્ણય લઇ શકે. રાજકીય આટાપાટામાંથી બહાર નીકળીને દેશના હિતમાં વાત કરી શકે. આવા સમયે દેશને પરફેક્ટ લીડર તરીકે એક માત્ર નરેન્દ્ર મોદી જોવા મળી રહ્યા છે.

સમયની માંગને ઓળખો
દેશની સામે સમસ્યાઓ અને પ્રશ્નોનો ખડકલો છે. રાષ્ટ્રની સુરક્ષા, વિદેશ નીતિ, વર્તમાન સરકારનું ઘટતું કદ, ચૂંટણી પરિવર્તન, ભારતના કાયદાઓમાં સુધારા વગેરે જેવા મુદ્દાઓ છે ત્યારે સમય આવી ગયો છે તે આ તમામ મુદ્દે દીર્ઘદ્રષ્ટિથી નિર્ણય લઇ શકે તેવા નેતાઓની પસંદગી કરવા માટેનો સમય આવી ચૂક્યો છે. સમયની માંગને જનતાએ પારખવી જોઇએ.

નોંધ : આ વિચારો આઇઆઇટી પવઇમાં એમબીએના વિદ્યાર્થી અપૂ્ર્વ શાહના અંગ્રેજી લેખના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X