વિશ્વ પ્રખ્યાત ગીર ગાય તેમજ જાફરાબાદી ભેંસના સંવર્ધન અંગે યોજાયો સેમિનાર
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત ગીર ગાય તેમજ જાફરાવાદી ભેંસ ઓલાદ સુધારણા તથા ઉત્પાદકતા વૃદ્ધિ અંગે પરિસંવાદ યોજાયો. આ સેમિનારમાં ગીર ઓલાદનું સંવર્ધન અને સંરક્ષણ અંગે
નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને સાબરમતી આશ્રમ ગૌશાળા દ્વારા આયોજિત ગીર ગાય તેમજ જાફરાવાદી ભેંસ ઓલાદ સુધારણા તથા ઉત્પાદકતા વૃદ્ધિ અંગે પરિસંવાદ યોજાયો. આ સેમિનારમાં ગીર ઓલાદનું સંવર્ધન અને સંરક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે ગીર ગાય તેમજ જાફરાબાદી ભેંસ તેના દૂધ માટે ઉત્તમ પ્રજાતિ મનાય છે. ગીર સોમનાથના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે આજે એન.ડી.ડી.બી. અને સાબરમતી ગૌશાળા દ્વારા જે સેમિનાર યોજવામાં આવ્યો તેમાં એક હજાર જેટલી પશુપાલક બહેનો અને ત્રણસો જેટલા ભાઈઓ એ ભાગ લીધો હતો.ગીર ઓલાદ સુધારણા અંગેના આ સેમિનારમાં એન.ડી.ડી.બી.ના એડવાઇઝર , સાબર ડેરીના અધિકારીઓ, ડોકટરો દ્વારા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગીર ઓલાદમાં આવતા રોગોને કેમ નાથવા , રોગો ન આવે તે માટે કેવી જાગરૂકતા રાખવી, કુદરતી રીતે દૂધ ઉત્પાદન કેવી રીતે વધારવું,પશુઓને ક્યા પ્રકારનો ખોરાક ક્યારે આપવો તેમજ પાણી કેટલા પ્રમાણમાં અને ક્યાં સમયે આપવું તે અંગેની વિગતવાર સમજણ આપવામાં આવી હતી.

એન.ડી.ડી.બી.નાં એડવાઇઝર ડો.કમલેશ ત્રિવેદીએ પોતાના સંબોધનમાં ખાસ જણાવ્યું હતું કે, "ગીર ઓલાદના પશુઓને જરૂરિયાત મુજબ મિનરલ મિક્ષર પૂરતા પ્રમાણમાં આપવું જોઈએ. જેથી તેની તંદુરસ્તી વધે અને દૂધ સારા એવા પ્રમાણમાં મળે." ગીર ઓલાદના પશુઓમાં સબક્લિનિકલ મસ્ટાઇટીસ નામનો આંચળ નો જે રોગ જોવા મળે છે.તેને દેશી ભાષામાં 'ઓછર' નો રોગ પણ કહેવાય છે. તેમાં ખાસ કાળજી રાખવી જોઈએ. ગીર ગાયમાં 24 કલાક દૂધ ઉત્પાદન ની પ્રક્રિયા થતી રહેતી હોય છે.400 થી 500 લીટર લોહી આંચળ માંથી પસાર થાય ત્યારે સારી ગીર ગાયમાં 39 થી 40 લીટર દૂધ બને છે.
ગીર ગાયના આંચળમાં 200 કરોડ જેટલા સુક્ષમ સાબુદાણા જેવા દૂધના બિન્સ રહેલા હોય છે. 8 થી 9 મિનિટમાં ગાય દોહવાઈ જવી જોઈએ. આંચળ શુદ્ધ પાણી થી સાફ કરવા જોઈએ. અને ખાસ તો દૂધ ની સેર જમીન પર ન મારવી જોઈએ. તો આ ઓછર ના રોગ થી ગીર ઓલાદ ને બચાવી શકાય. કૃત્રિમ બીજદાન દ્વારા સારી રીતે અને તંદુરસ્ત તેમજ વધુ માત્રામાં ગીર ઓલાદને જન્માવી શકાય. ગીર ગાયના દૂધમાં ન્યુટ્રીશન વધુ પ્રમાણમાં હોવાને કારણે માનવ જીવન માટે આરોગ્યપ્રદ છે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
