શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવી-ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે મુદત વધારાઇ
ખેડૂતોને રવી પાકમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે અને પાક નિષ્ફળ ના જાય તેના માટે તંત્ર દ્વારા શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી પાણી મેળવવા માટે અરજીઓ મંગાવી છે. લાગતા-વળગતા દરેક ખેડૂતોને શેત્રુંજી સિંચાઈ યોજનાનો લાભ મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા અરજીઓ મંગાવવાનું કાર્ય આરંભ્યું હતું. જો કોઈ ખેડૂતે હજી સુધી અરજી ના કરી હોય તો તેમના માટે સારા સમાચાર છે, કેમ કે અરજી કરવાની તારીખ લંબાવવામાં આવી છે.

શેત્રુંજી સિંચાઇ યોજનામાં રવી - ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે પાણી મેળવવા માટે બાગાયતદારો પાસેથી તા.૩૧/૦૧/૨૦૨૪ સુધીમાં અરજી ફોર્મ માંગવામા આવેલ પરંતુ સિંચાઇ માટેના પુરતા પ્રમાણમાં ફોર્મ આવેલ ન હોઇ, અરજી ફોર્મ સ્વીકારવાની મુદત તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી લંબાવવામાં આવે છે.
જેથી દરેક બાગાયતદારોએ વધારેલ મુદતમા સિંચાઇના ફોર્મ અચુક ભરી દેવા. મુળ જાહેરાતની અન્ય શરતો યથાવત રહેશે. આથી બાગાયતદારોએ રબી - ઉનાળુ મોસમ ૨૦૨૩-૨૪ માટે અરજી ફોર્મ લગત સેક્શન કચેરીમા તાત્કાલિક અસરથી ભરી જવા ભાવનગર જળ સિંચન વિભાગની યાદીમાં જણાવાયુ છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી









Click it and Unblock the Notifications
