Birthday Special: જાણો કોણે કહ્યુ હતુ - માનો ધ્યાનસ્થ અમિતાભ
આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. છેલ્લા 47 વર્ષોથી હિંદી સિનેમાના કેનવાસ પર ચમકી રહેલા ધ ગ્રેટ અમિતાભ બચ્ચન કોઈ યુગથી કમ નથી.
આજે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો જન્મદિવસ છે. છેલ્લા 47 વર્ષોથી હિંદી સિનેમાના કેનવાસ પર ચમકી રહેલા ધ ગ્રેટ અમિતાભ બચ્ચન કોઈ યુગથી કમ નથી. આખો દેશ તેમને અભિનંદન પાઠવવામાં લાગ્યો છે. 77 વર્ષના અમિતાભના વ્યક્તિત્વમાં જીવનના એ બધા રંગો છે જેને મેળવવા માટે વ્યક્તિને સદીઓ લાગી જાય છે. અમિતાભની ચમક માત્ર દેશમાં નહિ પરંતુ દેશની બહાર પણ ફેલાયેલી છે.

અમિતાભ એક યુગનુ નામ છે...
અમિતાભની આગળ ઘણા સ્ટાર્સે જન્મ લીધો અને તે અમુક વર્ષો બાદ ફિલ્મી દુનિયામાંથી આઉટ પણ થઈ ગયા પરતું અમિતાભની ચમક એખ ધ્રુવ તારાની જેમ અટલ જ છે. કવિ હરિવંશ રાયનુ સંતાન અમિતાભ માત્ર એક અભિનેતા નથી પરંતુ એક સારા વ્યક્તિ તરીકે આજે દરેક વ્યક્તિના દિલોમાં ધડકી રહ્યા છે.

અમિતાભ બચ્ચનને અમિતાભ નામ સુમિત્રાનંદન પંતે આપ્યુ હતુ
પરંતુ શું તમને ખબર છે કે દરેક દિલના પ્યારા અમિતાભ બચ્ચનને અમિતાભ નામ કોણે આપ્યુ, કદાચ તમને વિશ્વાસ નહિ આવે પરંતુ મહાનાયકને આ નામ આપ્યુ હતુ હિંદીના પ્રખ્યાત કવિ સુમિત્રાનંદન પંતે. પંત અને અમિતાભના પિતા હરિવંશરાય બચ્ચનને ઘણા ઘનિષ્ઠ સંબંધ હતા. પંત ઘણીવાર અલ્મોડા છોડીને ઈલાહાબાદ આવતા હતા.

માનો ધ્યાસ્થ અમિતાભ...
11 ઓક્ટોબર, 1942ના રોજ જે દિવસે અમિતાભે જન્મ લીધો હતો, તે વખતે નર્સિંગ હોમમાં પંત પણ હાજર હતા જેમણે નવજાત શિશુ તરફ ઈશારો કરીને કવિ બચ્ચનને કહ્યુ હતુ - જુઓ તો કેટલો શાંત દેખાઈ રહ્યો છે, જાણે કે ધ્યાનસ્થ અમિતાભ. બસ ત્યારેથીથી એ બાળકનુ નામ અમિતાભ થઈ ગયુ.












Click it and Unblock the Notifications
