આરઝી હુકુમત એ આઝાદ હિંદ : નેતાજીએ આઝાદી પૂર્વે જ સરકાર બનાવી હતી, જાણો કોણ હતા રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન
ભારતના ઇતિહાસમાં 21 ઓક્ટોબરની તારીખ ખૂબ જ ખાસ છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હોવા છતાં, નેતાજી સુભાષચંદ્ર બોઝે 21 ઓક્ટોબર, 1943 ના રોજ જ સ્વતંત્રતા જાહેર કરી હતી.
ભારતના ઇતિહાસમાં 21 ઓક્ટોબરની તારીખ ખૂબ જ ખાસ છે. 15 ઓગસ્ટ, 1947 ના રોજ ભારત સ્વતંત્ર થયું હોવા છતાં, નેતાજી સુભાષચંદ્ર બોઝે 21 ઓક્ટોબર, 1943 ના રોજ જ સ્વતંત્રતા જાહેર કરી હતી. તેમણે અંગ્રેજોની ગુલામીને ફગાવી દીધી હતી અને ભારતમાં વૈકલ્પિક સરકાર રચી હતી. તેનું નામ આપવામાં આવ્યું હતું - આરજી હુકુમત એ આઝાદ હિન્દ.

નેતાજીએ 1945માં તાઈપેઈમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો
ભારતના અમૃત મહોત્સવના વર્ષમાં આરજી હુકુમત એ આઝાદ હિન્દની તારીખને ખાસ રીતે યાદ કરવામાં આવી રહી છે. દેશભરની શાળાઓમાં, આજે સવારે ગીત કદમકદમ બઢાયે જા, ખુશી કે ગીત ગાયે જા ગાઇને નેતાજીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
નેતાજી સુભાષચંદ્ર બોઝને ધનબાદ સાથે ખાસ જોડાણ છે. તેમના કાકા અહીં ભાગમાં કોલરીમાં કામ કરતા હતા. તેઓ અહીં આવતા જતા રહેતા હતા.
અંગ્રેજોથી બચવામાટે નેતાજીએ ઘણી વાર ધનબાદમાં આશરો લીધો હતો. ઇતિસાહની તેમની છેલ્લી મુલાકાતની તારીખ પણ ધનબાદ સાથે સંકળાયેલી છે.
કહેવાય છે કે, નેતાજીએ1945માં તાઈપેઈમાં વિમાન દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો, પરંતુ હજૂ સુધી તેની કોઇ પુષ્ટિ થઈ શકી નથી.
18 જાન્યુઆરી, 1941 આ એ જ તારીખ છે, જ્યારે નેતાજી છેલ્લે ભારતમાં જોવા મળ્યા હતા. તેઓ ધનબાદના ગોમો રેલવે સ્ટેશન પર જોવા મળ્યા હતા, જ્યાંથી તેઓકાલકા મેલમાં પેશાવર જવા રવાના થયા હતા. કહેવાય છે કે, આ પછી નેતાજીને કોઈએ જોયા નથી.
જો કે, એ જ સમયગાળામાં તેમણે ભારતમાં વૈકલ્પિક સરકારનીરચનાની જાહેરાત કરી હતી. જાપાન, જર્મની જેવા ઘણા દેશોએ પણ આ સરકારને માન્યતા પણ આપી હતી.

નેતાજી પેશાવરથી ગોમો જવા નીકળ્યા હતા
નેતાજીના મિત્ર શેખ મોહમ્મદ અબ્દુલ્લાના પૌત્ર શેખ મોહમ્મદ ફખરુલ્લાહ જણાવે છે કે, નેતાજી તેમના ઘરે નિયમિત આવતા હતા.
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ઘણીવાર નેતાજી તેમના દાદાને મળવા માટે વેશપલટો કરીને મળવા આવતા હતા.
18 જાન્યુઆરી, 1941 ના રોજ નેતાજી કાર દ્વારા કોલકાતાથી રોડ માર્ગે ગોમો પહોંચ્યા અને તેમના મિત્ર શેખ મોહમ્મદ અબ્દુલ્લાને મળ્યા હતા. નેતાજી પઠાણના વેશમાંહતા.
અહીં શેખ અબ્દુલ્લાને મળ્યા બાદ અમીન નામના દરજીએ તેને કાલકા મેલ પર રાત્રે લગભગ 12 કલાકે બેસાડ્યા હતા. ટ્રેનમાં બેસીને તેઓ પેશાવર જવા રવાનાથયા હતા.

નેતાજીએ કેવી રીતે સરકાર બનાવી?
નેતાજી માનતા હતા કે, ભારતે પોતાની આઝાદી માટે વિશ્વયુદ્ધનો લાભ લેવો જોઈએ અને અંગ્રેજો સામે લડતા દેશોની મદદથી ભારતમાંથી બ્રિટીશ શાસનને ઉથલાવીદેવું જોઈએ.
સુભાષચંદ્ર બોઝ માનતા હતા કે, સશસ્ત્ર સંઘર્ષ દ્વારા જ ભારત આઝાદ થઈ શકે છે.તેઓ 1920 અને 1930ના દાયકામાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કટ્ટરપંથી નેતા હતા, વર્ષ 1938-1939માં કોંગ્રેસ પ્રમુખ બનવાના માર્ગ પર આગળ વધ્યા હતા, પરંતુતેઓ લાંબા સમય સુધી પ્રમુખ પદે રહ્યા નહીં.
આ સરકારમાં સુભાષચંદ્ર બોઝ વડાપ્રધાન બન્યા અને યુદ્ધ અને વિદેશ બાબતોના મંત્રી પણ હતા.કહેવાય છે કે, નેતાજી સરકારમાં રાષ્ટ્રપતિ અને સેના પ્રમુખ પણ હતા. આ સિવાય આ સરકારમાં વધુ ત્રણ મંત્રીઓ હતા.
મહિલા સંગઠન મંત્રી કેપ્ટન શ્રીમતી લક્ષ્મી,એસ.એ. ઐયર પ્રચાર અને પ્રસારણ મંત્રી, લેફ્ટન્ટ કર્નલ એસી ચેટર્જીને નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. આ સાથે જ 16 સભ્યોની મંત્રી સ્તરની સમિતિની પણરચના કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
