For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ: એપ્રિલ 2016ની આસપાસ વિરાટ અને અનુષ્કાનું બ્રેકઅપ?

|
Google Oneindia Gujarati News

ગ્લેમરની દુનિયામાં સંબંધો આકર્ષણ અને જરૂરિયાતોની દોરીથી બંધાયેલા હોય છે. આ બંને એવી વસ્તુઓ છે જે સમયની સાથે નબળી પડી જાય છે. કેટલાક લોકો એવા હોય છે, જેમના જોડાવવાથી કરીયરમાં ચાર ચાંદ લાગી જાય છે. અને કેટલાક લોકો એવા હોય છે, જેમના જોડાવવાથી કરીયરનો ગ્રાફ નીચે ઉતરવા લાગે છે.

હાલમાં ક્રિકેટમાં યુવાનોના આદર્શ એવા વિરાટ કોહલી અને બોલીવુડની ટોપ અભિનેત્રીમાંથી એક અનુષ્કા શર્મા વચ્ચે થોડુ નહીં પણ ઘણું બધુ ચાલી રહ્યું છે. આ બંનેની વાતો મિડીયામાં છવાયેલી રહે છે, અને આ બંને પોતાના સંબંધોને સાર્વજનિક રૂપે કબુલ કરી ચુક્યા છે. આજે વિરાટ કોહલીનો બર્થડે છે.

આવો આ ખુશનુમા ક્ષણોમાં જ્યોતિષના આધારે જાણવાની કોશિષ કરીએ કે વિરાટ અને અનુષ્કાની આ સરસ મજાની જોડીની બંનેની કરિયર પર શું અસર થશે?

એકબીજા પ્રત્યે લગાવ

એકબીજા પ્રત્યે લગાવ

વિરાટનો જન્મ 5 નવેમ્બર 1988ના રોજ સવારે 10.28 મિનીટે દિલ્હીમાં ધન લગ્નમાં થયો હતો. જ્યારે અનુષ્કાનો જન્મ 1 મે 1988ના રોજ બપોરે 12 કલાકે કર્ક લગ્નમાં થયો હતો. આ બંનેના જન્મ સ્વામી ગુરૂ અને ચંદ્રનો મૈત્રી સંબંધ છે. અને એટલે જ એકબીજા પ્રત્યે લગાવ, પ્રેમ, સહાનુભૂતિ, અને વૈચારિક સામ્યતા સ્પષ્ટ દેખાય છે.

ચંદ્રની સ્થિતિ અશુભ

ચંદ્રની સ્થિતિ અશુભ

વિરાટ અને અનુષ્કાના ચંદ્ર ક્રમશ 12માં અને બીજા ભાવે આવે છે. બંનેના ચંદ્રની સ્થિતિ પરસ્પર અશુભ છે.

કાર્યક્ષમતા સારી

કાર્યક્ષમતા સારી

વિરાટનો વર્ણ વૈશ્ય છે, અને અનુષ્કા શર્માનો વર્ણ શુદ્ર છે. વર્ણમાં સમાનતા હોવાના કારણે બંનેની કાર્યક્ષમતા સારી રહેશે.

પ્રધાનતા ઠીક

પ્રધાનતા ઠીક

વશ્યનો સંબંધ પ્રધાનતાથી હોય છે. બંનેનો વશ્ય માનવ છે. તેથી વિરાટ અને અનુષ્કાની જોડીની પ્રધાનતા ઠીક રહેશે.

ભાગ્ય-એકબીજા માટે લાભકારી નથી

ભાગ્ય-એકબીજા માટે લાભકારી નથી

આ બંનેના ભાગ્ય એકબીજા માટે લાભકારી નથી.

માનસિક તારતમ્યતા સારી રહેશે

માનસિક તારતમ્યતા સારી રહેશે

યોનિમાં સમાનતાના કારણે માનસિક તારતમ્યતા સારી રહેશે.

અંદરો અંદર સમજણ સારી

અંદરો અંદર સમજણ સારી

વિરાટ કોહલીનો બુધ અને અનુષ્કાનો સ્વામી શુક્ર છે. ગ્રહ મૈત્રી ખુબ જ સારી બની રહી છે. તેથી બંનેની એકબીજા પ્રત્યેની સમજણ સારી રહેશે.

ગુણોની પ્રધાનતા

ગુણોની પ્રધાનતા

બંનેના ગુણોની પ્રધાનતા પણ સારી નજરે પડી રહી છે.

વાસ્તવિક પ્રેમની ન્યૂનતા

વાસ્તવિક પ્રેમની ન્યૂનતા

બંનેના વાસ્તવિક પ્રેમમાં ન્યૂનતા દેખાઇ રહી છે.

સ્વાસ્થ્ય સારૂ

સ્વાસ્થ્ય સારૂ

નાડીનો મેળાપ ઉત્તમ છે. અને એટલે બંનેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

નિષ્કર્ષ

નિષ્કર્ષ

વિરાટ અને અનુષ્કાનો જ્યોતિષ મેળ કરવા પર ભાગ્ય અને પ્રેમ સિવાય અન્ય બધા જ પાસા સારા છે. પરંતુ જો ભાગ્ય સાથ નહીં આપે તો બંનેની કરિયરમાં પ્રગતિ નહીં થાય.

એપ્રિલ 2016માં બ્રેકઅપ

એપ્રિલ 2016માં બ્રેકઅપ

જ્યારે બંનેની કરિયરમાં ગ્રોથ નહીં થાય તો સ્વાભાવિક છેકે એકબીજા પર દોષારોપણ થશે. જો વિરાટ અને અનુષ્કા દુર નહીં થાય તો તેમના કરિયર જોખમમાં પડી શકે છે. ગ્રહ દશાઓ અનુસાર એપ્રિલ 2016ની આસપાસ વિરાટ અને અનુષ્કાનું બ્રેકઅપ થવાના અણસાર દેખાઇ રહ્યાં છે.

English summary
Alleged lovebirds Anushka Sharma and Virat Kohli will reportedly face some problems in their relationship said Astrologer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X