શું છે કલર થેરેપી? કેવી રીતે તેનો ઉપયોગ કરી તમે મેળવશો શાંતિ
ઘરમાં થતા પરિવારના કલેશને દુર કરવા અપનાવો કલર થેરેપી. આ થેરેપી અનુસાર તમારા ઘરમાં રંગો કરો અને મેળવો શાંતિ.આ અંગે વધુ વાંચો અહીં.
દોડભાગની જીંદગીમાં વ્યક્તિ જે લોકો માટે રાત-દિવસ મહેનત કરે છે, તેમની માટે જ સમય કાઢી શકતી નથી. હા, તમે બરાબર સમજ્યા. અમે વાત કરીએ છીએ, ઘર-કુટુંબ, પત્ની-બાળકોની. જેને કારણે કુટુંબીજનો તમારાથી નારાજ રહે છે અને ઘરનું વાતાવરણ તણાવપૂર્ણ બની જાય છે. જો તમારા ઘરમાં પણ રોજે-રોજ ઝગડા થતા હોય અને તમે ગૃહકલેશથી કંટાળી ગયા છો તો ઘરમાં અપનાવો કલર થેરેપી, જે તમારા ઘરને સુંદર બનાવવાની સાથે તમારા જીવનને પણ પ્રેમના રંગોથી ભરી દેશે. આછા રંગો આળસમાં વધારો કરે છે, જ્યારે ઘટ્ટ રંગો સ્ફૂર્તિ અને ઉત્સાહ વધારે છે. તમારા જીવનને નિરસ બનતા બચાવવાથી હંમેશા કલરફૂલ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દો. ઘર અને ઘરના કક્ષો માટે નીચે મુજબ કલર થેરેપી તમારા જીવનને રંગોથી ભરી દેશે. જેને અજમાવવાથી તમે તમારુ જીવન અને સંબંધોને પણ કલરફૂલ બનાવી શકો છો.

ઘરના પડદા
જો પતિ-પત્ની વચ્ચે ઝગડા થતા હોય તો બેડરૂમમાં લાલ અને નારંગી રંગના પડદા લગાવો, તેનાથી ઝગડા બંધ થઈ જશે. આ ઉપરાંત તમે તમારા બેઠક રૂમમાં પણ થોડા ઘાટા કલરના પડદા લગાવી શકો છો.

ઘરની દિવાલોને ઘાટ્ટા રંગ
ઘરની દિવાલો પર કાળો, ગ્રે, વાદળી, કોકાકોલા જેવા ઘાટ્ટા રંગો કરાવશો નહિં, કારણ કે આ રંગો નકારાત્મક ઊર્જાને આકર્ષે છે. તેની અસર ઘરના સભ્યોના સ્વભાવ પર પડે છે. આવા રંગોના કારણે ઘરમાં સૂર્યનો પ્રકાશ વધારે ફેલાતો નથી. જેથી તમારા ઘરમાં આળશ અને નકારાત્મકતાનું પ્રમાણ પણ વધતુ જાય છે.

રસોઈ અને ડ્રોઈંગરૂમ
ઘરમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે તે માટે રસોઈઘરમાં અને ડ્રોઈંગરૂમમાં પિંક કલરનો પેંટ વાપરો. જે પરિવારના સભ્યોના સ્વભાવમાં મૃદુતા અને પ્રેમ વધારે છે. આ રંગ ઘરમાં નવા વિચારો સાથે આવે છે. જેથી ઘરના લોકોના સ્વાસ્થય પર પણ તે હકારાત્મક અસર કરે છે.

બેડરૂમ અને મનોરંજન કક્ષ
બેડરૂમમાં આછો વાદળી રંગ વાપરો, આ રંગને આછા રંગોની કેટેગરીમાં મુકવામાં આવ્યો છે. તેનાથી પતિ-પત્ની વચ્ચેની અનબન દૂર થાય છે. જ્યારે મનોરંજન કક્ષમાં તમે સ્લેટી રંગનો ઉપયોગ કરી શકો છો. તે ઉપરાંત તમે થોડા આછા અને નવા રંગોનો પણ ઉપયોગ કરી શકો છો. આછા રંગોનો મન પર પ્રભાવ વધારે થાય છે. તેથી તેનો વધુ ઉપચોગ લાભદાયક રહે છે.

સ્ટડીરૂમ અને ઓફિસ
સ્ટડીરૂમની દિવાલો પર હંમેશા લીલો અથવા પોપટીયો લીલો રંગ કરાવવો જોઈએ. જ્યારે ઓફિસમાં સફેદ રંગનો ઉપયોગ કરવું સારુ મનાય છે, જેનાથી વ્યક્તિનું મન શાંત અને એકાગ્ર થાય છે.

મંદિર અને વરંડો
મંદિર અને વરંડાની દિવાલોને પીળા કે નારંગી રંગથી રંગો. જે વ્યક્તિના મનમાં આધ્યાત્મિકતા તરફ વાળે છે. આ ઉપરાંત તમે સફેદ રંગનો પણ ઉપયોગ કરી શકો છો. આ રંગ મનને એકાગ્ર કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
