Astrology News : નકારાત્મક ઉર્જા ઘરથી રહેશે દુર, જાણી લો આ વાસ્તુ ઉપાય

Vastu Tips for Negative Energy : ઘરમાં નકારાત્મક ઉર્જાને કારણે અશાંતિ, બીમારી અને ક્લેશનું વાતાવરણ રહે છે. જે કારણે ઘરમાંથી નકારાત્મક ઉર્જા ખતમ કરવી જરૂરી છે.

વાસ્તુ શાસ્ત્રમાં આ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેની મદદથી તમે નેગેટિવ એનર્જી દુર કરી શકો છો. જેમાં કાળા જાદુ, તંત્રમંત્ર અને નકારાત્મક ઉર્જાને ઘરથી દુર રાખવાના ઘણા ઉપાયો છે, જે વિશે આપણે આ અહેવાલમાં જાણીશું.

Vastu Tips

ઘરની બહાર દીવો પ્રગટાવો - નકારાત્મક ઉર્જાને ઘરથી દૂર રાખવા માટે સાંજે ઘરની બહાર દીવો પ્રગટાવવો જોઈએ. આ માટે કપાસમાંથી ચાર લાંબી વાટ તૈયાર કરો. લોટમાંથી દીવો બનાવો અને તેમાં ચાર કાળા મરી નાંખો અને ચારેય વાટને પ્રગટાવો. આ સળગતા દીવાને ઘરની બહાર રાખો.

દીવો ક્યારે રાખવો જોઈએ - લોટનો બનેલો આ દીવો અંધારું થયા પછી ઘરની બહારના દરવાજા પર થોડી વાર માટે રાખવો જોઈએ. આ ઉપાય મંગળવાર, શનિવાર, રવિવાર અથવા પ્રદોષ અમાવસ્યાના દિવસે કરવો જોઈએ.

નકારાત્મક શક્તિઓ દૂર રહેશે - આ ઉપાયો કરવાથી દરેક પ્રકારની નકારાત્મક ઉર્જા તમારા ઘરથી દૂર રહેશે. તમારા ઘર પર તંત્ર મંત્ર, કાળો જાદુ અને અનિષ્ટ શક્તિઓનો પડછાયો નહીં પડે.

આ ઉપાયો કરી શકો છો - આ સિવાય પાણીના ઉપાયથી ખરાબ શક્તિઓને ઘરથી દૂર રાખી શકાય છે. આ માટે એક વાસણમાં પાણી લો અને તેને ત્રણથી ચાર કલાક સૂર્યપ્રકાશમાં રાખો. બાદમાં તમારા મનપસંદ ભગવાનનું નામ લો અને આ પાણીને આશોપાલવ અથવા કેરીના પાનની મદદથી ઘરના ખૂણાઓમાં છાંટો.

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X